SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય -કર્ણના વધ કર્યાં છે તેથી તમારા પુત્રાને માટે જયલક્ષ્મી સુલભ અની ગઈ છે. તેા પછી તમે શા માટે રડા છે ? ત્યારબાદ અત્યંત દુઃખને અનુભવતા કુંતીએ કહ્યુ કે હુ· કમનશિખ તમને શુ કહું? પાંડુરાજાના પ્રથમ તેજના અંકુર હતા. એ તમારા સહેાદરભાઈ હતા પરંતુ કારણવશાત્ જન્મ થતાની સાથે જ કુંડલા સહિત મે તેના ત્યાગ કર્યો હતા. ત્યારે પુત્રાએ પૂછ્યું કે તેના ત્યાગ શા માટે કર્યાં ? ત્યારે તેણી શ્રી સ્વભાવથી લજ્જિત અનીને શાંત બેસી રહી ત્યારે કના ત્યાગની વાત કૃષ્ણે તેમના કાનમાં કહી સભળાવી. તે લેાકેાએ કૃષ્ણને કહ્યું કે જ્યારે તમને આ વાતની ખબર હતી તેા પછી અમારા હાથે ભાઇની હત્યા શા માટે કરાવી ? આ પાપથી અમે કેવી રીતે છુટીશુ' ? કૃષ્ણે કહ્યુ કે તેમાં તમારા દોષ નથી. કેમકે મારવાની ઇચ્છાવાળાને મારવા તે ધમ છે. બીજીવાત તા એ છે કે જ્યારે હું દૂત બનીને હસ્તિનાપુર ગયા હતા ત્યારે મેં કણ ને એ વાત કરી હતી. કે તું તારા સહેાદરભાઈ પાંડવાને છેડી દુર્યોધનના પક્ષ શા માટે કરી રહ્યો છે ત્યારે કર્ણે મને કહ્યું' કે દુર્ગંધનની તાકાતથી હું કણ તરીકે પ્રખ્યાત થયા છું. તે દુર્યોધનને હું કેમ છેાડુ' ? માટે હું દુર્યોધનને માટે મારા પ્રાણ સમર્પણ કરીશ અને અર્જુન સિવાય હું પાંડવેામાંથી કાઇને મારીશ નહિ. આ પ્રમાણે અર્જુન તરફે શત્રુતા કણું રાખતા હતા. એટલે મે' તમને વાત કરી ન હતી.
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy