SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૩] ! | [ ૩૭૭, પુરૂષાર્થને ધિક્કાર છે કે તમારી સામે કણે તમારા મોટાભાઈ યુધિષ્ઠિરને મૃત્યુ સમીપ લાવીને મૂકી દીધા છે. પિતાની ધનુર્વિદ્યા તમને આપીને આજે દ્રોણગુરૂ પણ ઈન્દ્રની સભામાં લજજાળું બન્યા હશે. એક સે. પાંચ પૌત્રોમાં સહુથી વધારે તમારી ઉપર પ્રેમ રાખતા ભીષ્મપિતામહ સંયમ અવસ્થામાં પણ આજે શરમ અનુભવતા હશે. કુન્તીએ તમારી જગાએ પુત્રીને જન્મ આપે હોત તો તેને પતિ પણ આજે યુધિષ્ઠિરને જરૂર બચાવી લેત. આ પ્રમાણે કૃષ્ણના કઠોર શબ્દથી સાક્ષાત્ કોલસમાન અર્જુન કર્ણની તરફ દો. દેડતા અર્જુનને કહ્યું પુત્ર વૃષસેને રે . પરંતુ અભિમન્યુ વધનું સ્મરણ કરીને અત્યંત ક્રોધાગ્નિને પ્રદીપ્ત કરતા અને ઘાસના પર્વતની જેમ તેને મારી નાખ્યા. પુત્રના મૃત્યુથી શકાતુર કર્ણ યુધિષ્ઠિરને છેડી અર્જુનની તરફ દે. તેને સામે આવતો જોઈ કૃષ્ણ અર્જુનને કહ્યું. સાક્ષાત્ વીરરસને છલકાવતો શલ્ય રાજાને સારથિ બનાવી કર્ણ આવી રહ્યો છે. ઘણા દિવસથી રહેલે શંસય આજે દૂર થઈ જશે. * આ પ્રમાણે કહીને કૃષ્ણ પિતાના રથને કર્ણના રથની સામે પહોંચાડ. રેષથી લાલ વર્ણવાળા અર્જુન અને કર્ણ પ્રાતઃકાળના સૂર્ય ચંદ્રની જેમ દેખાવા લાગ્યા. તે વખતે તેમના રથના પૈડાની ઘુઘરીઓને અવાજ બને વચ્ચે થનાર યુદ્ધને આમંત્રણ આપી રહ્યો હતે. અતિ ઉત્સાહમાં આવેલા બન્ને જણાએના કવચ તૂટવા લાગ્યા.
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy