SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગઃ ૧૩] [૩૬૫ અગ્નિ પ્રગટ થતાં અંધકારની સાથે વીર પુરૂષોને પણ નાશ થવા લાગ્યું. તે વખતે સૈનિકે પિતાના સ્વામીનું નામ બેલતા હોવાથી પિતાના અને શત્રુઓના સૈનિકોની ખબર પડતી હતી. અંધકારમાં કાંઈ જ દેખાતું ન હતું.. ઘણા સિનિકે રસ્તામાં પડેલા મડદાની સાથે અથડાઈને નીચે પડી જતી વખતે પિતાની જ તલવારથી મરણને શરણ થતા હતા. હિડંબાની કુક્ષીથી ઉત્પન્ન થએલ ભીમપુત્ર ઘટોત્કરા રાક્ષસી સેના લઈને કૌરવોની સેનાને વ્યાકુળ કરવા લાગ્યો. અનેક પ્રકારે માયા યુદ્ધને રચતા ઘટેસ્ક પત્થરોના વરસાદથી રથોને ભાંગી નાખ્યા. વૃક્ષેથી હાથીઓને નાશ કર્યો. ગદાઓ મારીને ઘણા સૈનિકોને મારી નાખ્યા. એકલા ઘટેન્કચે તે વખતે પાંડને આનંદ, કૌરવોને મૃત્યુની બીક તથા જેનારાઓને કૌતુકદર્શન કરાવ્યું. કૌરવરૂપી વનને ઉખાડી નાખવા માટે જંગલી હાથી સમાન ઘટત્કચે કર્ણને રોકો. બનેનું ભયંકર યુદ્ધ જેવા માટે દેવતાઓ પણ આકાશમાં ભેગા થયા. ઘટોત્કચે પત્થરને મારો ચલાવ્યો. જ્યારે કણે તે પત્થરના પિતાના બાણથી ચુરા કરી નાખ્યા. જેનાથી ઉડેલી ધૂળ દશે દિશાઓમાં ફેલાઈ ગઈકૌરવસેનાને મેહિત બનાવતો ઘટોત્કચ ઘડીકમાં આકાશમાં તો ઘડીકમાં રથ ઉપર ઘડીકમાં ભૂમિ ઉપરથી બાને મારે કૌરવસેના ઉપર ચલાવવા લાગ્યા. કર્ણના કાલપૃષ્ઠ ધનુષ્ય જેટલા બાણે છેડયા તેનાથી હજાર ઘણું બાણોને છાયા. ઘટોત્કચના બાણોથી
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy