SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સન : ૧૩] પ્રબળ પરાક્રમી આંચકીને મોકલ્યા. તેણે દૂરથી દ્રોણાચાર્યને. નમસ્કાર કરીને સમુદ્રમાં જેમ વહાણ માર્ગ કાપે છે તેવી. રીતે સાત્યકીએ વ્યુહમાં પ્રવેશ કર્યો. અનેક રાજાઓને બાણથી વધ કરતા સાયકીને ભૂરિશ્રવાએ રેકર્યો. અને બન્નેનું ભયંકર યુદ્ધ ચાલ્યું. બન્નેના રથ ભાંગી ગયા. ધનુષ્ય ભાંગી ગયા. ત્યારે બન્ને જણ તલવારથી યુદ્ધ કરવા લાગ્યા. બીજી બાજુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પકડવા માટે પાંડવ સેનાને વિનાશ કરવા માંડે. પાંડવ સેના ભયભીત બનીને ભયંકર કે લાહલ કરવા લાગી. આ બાજુ સાત્યકીના વાળ પકડી ભૂરિશ્રવા જયાં તેને શિરચ્છેદ કરવા જાય છે. ત્યાં કૃષ્ણ અર્જુનને કહ્યું કે અજુન! અર્જુન!તારી સામે સાત્યકી મરવાની તૈયારીમાં છે. તમે જલદીથી ભૂરિશ્રવાને તલવારવાળે હાથ કાપી નાખે. કેઈપણ પ્રકારે આત્મિય જનનું રક્ષણ કરવું જ જોઈએ. બરાબર તે જ વખતે સૂર્ય અસ્તાચળે જવા માટે તૈયારી કરતે હતો.. તે જોઈને પાંડવસેના દુઃખને અનુભવ કરતી હતી. જ્યારે કૌરવસેના સૂર્યાસ્ત થવાની તૈયારી થવાથી આનંદમાં હતી.. તે વખતે અર્જુનના હૈયામાં ધમસાણ મચી ગયું. કારણ કે એક સાથે તેની સામે ઘણુ કાર્યો આવી પડયા હતા.. અજુન વિચારતો હતો કે ક્ષત્રિએને મારી આગળ વધવું અને જયદ્રથનો વધ કરે. બીજી બાજુ સાત્યકીને બચાવ. જ્યારે ત્રીજી બાજુ સૂર્યાસ્ત થવાની તૈયારી હોવાથી યુદ્ધબંધી થવાની રાહ કૌરવસેના જોતી હતી.. શ્રીકૃષ્ણની પ્રેરણાથી અને તલવાર સહિત ભૂરિશ્રવાને
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy