SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગઃ ૮મે _'[ ૨૪૩ આપો. આપના હાથની આંગળીમાં જે વીંટી ચમકે છે તે વીંટી વિશાલાક્ષ તથા પાંડુરાજાના પ્રેમની નિશાની છે. આ પ્રમાણે કહીને જ્યારે ચંદ્રશેખરે મૌન ધારણ કર્યું ત્યારે અને મોટાભાઈની સમાન તેને આલિંગન કર્યું અને કહ્યું કે યુધિષ્ઠિરની આજ્ઞાસમાન હું આપની આજ્ઞા માનવાને માટે તૈયાર છું. આ વીંટીની વાત હું જાણું છું. અહિં આવતાં પહેલાં આર્ય યુધિષ્ઠિરે મારી આંગળીમાં આ વીંટી પહેરાવી દીધી હતી. વિશાલાક્ષ તથા પાંડુરાજાને પ્રેમ તેમના સંતાનમાં પણ વધે. આ પ્રમાણે કહીને અર્જુન જ્યારે શાંત થયે ત્યારે ચંદ્રશેખરે અર્જુનને પિતાના 9 ઉપર બેસાડ. આકાશમાર્ગે સુખપૂર્વક જતા રચંદ્રશેખરે અર્જુનને કહ્યું કે ભરતભૂમિની સીમાના અંતરૂપ આ વૈતાઢયપર્વત છે. એમ કહી વૈિતાઢયપર્વત બતાવ્યું. જે પર્વત ઉપર વિદ્યાધરીઓ તમારા યશને ગીતના સ્વરૂપમાં ગાય છે. આપણે ખૂબ જ ઝડપથી દક્ષિણશ્રેણીમાં આવી પહોંચ્યા છીએ. અર્જુન ! આ રસ્તો રથનપુર જાય છે. જ્યાં ઈન્દ્ર આપના દર્શનને માટે ઉત્સુક બનીને ઉભે છે અને આ રસ્તો શત્રુનગર સુવર્ણપુર જાય છે. જ્યાં તલતાળુ લડવા માટે તૈયાર થઈને ઉભે છે. અને કહ્યું કે હમણાં મારું મન શત્રુવિનાશના કાર્યમાં લીન બન્યું છે. માટે પહેલાં શત્રુનગર ચાલે. તેનું હે જોયા સિવાય હું ઈન્દ્રનું મુખ જોઈશ નહિ. માટે ચંદ્રશેખર ! જ્યાં શત્રુ
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy