SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ભો] [૨૧૯ નથી, આપની કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ઇંદ્ર-- નીલમણિને ભાંગી નાખી, કાચનું રક્ષણ કોણ કરે? લાખે વૃક્ષમાં કલ્પવૃક્ષ જવલ્લે જ મળે છે. તેમ મારા જેવા લાખું માનવીઓમાં આપના જેવા વીર, સત્વશાળી પણ કઈક જ હોય છે, મારા મૃત્યુથી પાંચ જણ દુઃખી થશે ત્યારે આપના મૃત્યુથી પૃથ્વી દુઃખિત થશે, આપની ભૂજાઓ જોઈ મને કેવળીભગવંતની વાત યાદ આવે છે. એકવખત આ નગરમાં કેવળી ભગવંત પધાર્યા હતા, નગરના લેકે વંદન કરવા ગયા, તેમની ધર્મમયી દેશનાનું શ્રવણ કરી નાગરિકોએ પ્રશ્ન પૂછે કે ભગવન ! આ. નગરમાંથી રાક્ષસને ઉપદ્રવ કયારે દૂર થશે ? મુનીશ્વરે. કહ્યું કે જુગારમાં હારેલા પાંડવો વનવાસમાં ફરતા ફરતા જ્યારે અહીં આવશે ત્યારે આ ઉપદ્રવ શાંત થશે, આ પ્રમાણે કહીને કેવળી ભગવંત વિહાર કરી ગયા. ' જેમ ચંદ્રમાના ઉદયથી ઉદધિ ઉછાળા મારે છે. તેમ કેવળી ભગવંતના વચનથી નાગરિકોને હદયે-- મંગ ઉછળવા લાગ્યું, “પાંડવ, પાંડવ” શબ્દ લેકે માં અતિપ્રિય થઈ પડયો, તે પછી પાંડના મુખદર્શનની વાત જ કંયાં? પાંડવો આ નગરમાં આવે એટલા માટે: લાખે માનતાઓ લોકોએ માની છે. ઉપહાર લઈને લેકે હસ્તિનાપુરના રસ્તે ગયા હતા, પરંતુ તે રસ્તેથી આવતા એક મુસાફરે કહ્યું કે દુર્યોધનની પ્રેરણાથી
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy