SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭મે ] [ પ ત્યારબાદ, ભાઈએ થાકી જવાથી તેમને પીઠ ઉપર લઈ તે સમુદ્રમાં નાવની જેમ ભીમ આગળ ચાલવા. લાગ્યા, ચાલતાં ચાલતાં રાત્રિ પૂર્ણ થઈ, સૂર્યોદય થયા, પક્ષીએ કીલરવા કરવા કરવા લાગ્યા, સૂના કિરણાએ ભૂમ’ડલને સ્પર્શ કર્યાં, વનના એક ભાગમાં વિશ્રાંતિને માટે રોકાઈ ગયા, યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે આવા દુ:ખના સમયે તું તારી વિદ્યાનું સ્મરણ કર! અર્જુને વિદ્યાનુ સ્મરણ કર્યું. એટલામાં ત્યાં સુંદર સરાવર જોવામાં આવ્યું. ચારે તરફ ફળફૂલથી વૃક્ષ શેાલતા હતા. અર્જુને બધાને ફળફુલને આહાર કરાવ્યો. અને પેાતે પણ કર્યાં. વિશ્રાંતિ ખાદ આગળ ચાલતા બધા તરસથી વ્યાકુલ થઈ ગયા, ત્યારે ભીમ દૂરના કાઈ સાવરમાંથી પાણી લઈ આવ્યા, બધાને પાણી પીવડાવી શાન્ત કર્યાં, આગળ ચાલતાં એક ભયંકર વન આવ્યુ. જેની ભૂમિ ત્રાસ આપવાવાળી હતી, જંગલનાં વૃક્ષા રૌદ્ર આકૃતિવાળા હતા, પશુએ પણ અત્યંત ક્રૂર હતા, વનમાં પ્રવેશ કરતાં જ સૂર્યના અસ્ત થઇ ગયા. .. દંશે દિશાઓમાં રજનીએ પેાતાનુ રૌદ્ર સામ્રાજ્ય ધારણ કર્યું હતું. જંગલી જનાવરાની ચીસા સંભળાતી હતી, એવા ભયાનક જંગલમાં સત્રિ વ્યતિત કરવાના વિચાર કરીને આસે પાલવના ઝાડના નીચે ભીમે પથારી કરી, તે પથારી ઉપર પરમેષ્ઠિનું ધ્યાન ધરતા તે બધા સૂઈ ગયા. ' -
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy