SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ : પા] [ ૧૧૩ સિદ્ધિ થાય તે પહેલાં પિતાજીનું અવસાન થયું. મણિચૂડ શુભ મુહૂર્તે પેાતાના પિતાની ગાદી ઉપર બેસવાનેા હતે તે પહેલાં જ તેના કુટુખી વિદ્યુતવેગે માટી સેના સહિત ચઢાઈ કરીને રાજ્ય પડાવી લીધું. મણિચૂડને નગરની બહાર કાઢી મૂકયા, જીવવું નકામું છે. સમજીને હું મરવાની ઈચ્છાથી એકલા નીકળ્યા, ત્યારે મારી ચંદ્રાનના પણ પેાતાના પિતાના ઘેર ન જતાં, મારી પાછળ પાછળ આવી કારણ કે કુળવાન સ્રીઓના ધમ છે કે ‘જ્યાં પતિ ત્યાં સતિ' પગે ચાલતાં અમે સુમેરૂ પત ઉપર આવ્યા, ત્યાં અમે સંસારરૂપ મરૂભૂમિમાં કલ્પવૃક્ષ, વૃષભધ્વજ શ્રીયુગાદિદેવ તીર્થંકરના દર્શન કર્યાં, હું. નાભિનંદનના દનરૂપ પુણ્યનું ભાથુ લઈને સ્વર્ગના મુસાફર બનવાની ભાવનાવાળા છુ. મારી સ્રી ચંદ્રાનના મને રોકી રહી છે. મારી પહેલાં મરવાની ભાવના રાખે છે. આપને મારી નમ્ર વિનંતિ છે કે આપ મારી સ્ત્રીને સમજાવેા, અને મને આ પુણ્યભૂમિમાં પ્રાણ ત્યાગ કરવા દે, કે જેથી મારી સદ્ગતિ થાય. અર્જુને ક્રોધમાં આવીને કહ્યુ` કે જ્યારે હું તારા સહાયક છું; તેા પછી તને મરવાની શુ' આવશ્યકતા છે ? હું મારા દિવ્ય માણેાથી તારા વૈરીને મારી, તને તારી સંપત્તિ પાછી અપાવીશ, આ સૌભાગ્યશાલિની તારી સાથે આનંદ કરે, મણિચૂડે કહ્યું કે ભાઈ ! આપની પ્રતિભા જોઈને મને ખાત્રી છે કે આપના માટે આ કાર્ય અત્યંત
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy