________________
( ૨૦૨ ) એહડાવણુ કાઉસ્સગ કરું ? ઈચ્છ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નથ૦ કહીને સાગરવર ગંભીરા સુધી ચાર લેગસ્સને કાઉસ્સગ સર્વે કરે, અને એક જણ કાઉસ્સગ્ગ પારીને નમેહ કહી શુદ્રોપદ્રવની થાય બેલે તે નીચે પ્રમાણે
સવે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્ય કરી જિને શુદ્રોપદ્રવસંઘાત, તે દુતં દ્રાવથંતુ નઃ ૧ |
આ સ્તુતિ અને બ્રહશાંતિ સાંભળી સર્વે પારે, પછી લેગસ્ટ કહી ખમા દઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દે, આ સવળા દેવ વાંદવાનો વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ મળીને કરે, પછી ત્યાં મળેલા સર્વે સાધુ પરસ્પર વંદન કરે, પછી સર્વે દેરાસર જઈ ચૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી પછી સર્વે વેરાઈ જાય, અને જે માણસે સ્મશાને ગયા છે તે સર્વે
જ્યારે દહન ક્રિયા કરી નાહી શુદ્ધ થઈ ઉપાશ્રયે આવે ત્યારે, તે સર્વના આગળ સંતિકર અથવા વધુ શાંતિ કે બૃહદ્ શાંતિ ત્યાં હોય તે સાધુ સંભળાવે, અને પછી સંસારની અનિત્યતાને ઉપદેશ આપે, તે સર્વે સાંભળી શ્રાવકે પોતાના ઘેર જઈને તે દિવસથી અઠ્ઠાઈ મહોત્સવ માંડે, આઠ દિવસ સુધી ઘંઘાટ કરે એ રીતે સાધુ સાધ્વીની નિર્વાણ વિધિ સંપૂર્ણ
જે બહારગામથી સ્વસમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તે, ઊપર પ્રમાણે સાધુઓ અથવા ચતુર્વિધ સંઘ, આઠ થઈએ સવળા દેવ વાંદે, તથા અજિતશાંતિ સ્તવન, સર્વે યક્ષાંબિકાઘા સ્તુતિ, અને બૃહત્ શાંતિ વિગેરે કહે.
અને સાધ્વીના કાળધર્મ પામ્યાના સમાચાર આવે ત્યારે સાધ્વીઓ અને શ્રાવિકાઓ ઊપર પ્રમાણે સવળા દેવ વાંદે. તેમ અજિત શાંતિસ્તવનાદિક પણ સર્વે કહે. ઈતિ નિર્વાણ વિધિ.