________________
(૩૧) अर्हन्तं स्थापयेन्मूनि, सिद्धं चक्षुर्ललाटके । 'आचार्य श्रोत्रयोर्मध्ये, उपाध्यायं च 'नासिके ॥६॥
અરિહંતને મસ્તક પર સ્થાપન કરવા, સિદ્ધને નેત્ર તથા લલાટને વિષે સ્થાપન કરવા, આચાર્યને બે શ્રોત્રની મધ્યે સ્થાપવા અને ઉપાધ્યાયને નાસિકા પર સ્થાપવા. ૬ साधुवृन्दं मुखस्याग्रे, मनःशुद्धिं विधाय च । सूर्यचन्द्रनिरोधेन, सुधोः सर्वार्थसिद्धये ॥७॥
તથા સર્વ સાધુ-સમૂહને મુખના અગ્રભાગે સ્થાપવા. આ રીતે સર્વ અર્થની (કાર્યની) સિદ્ધિને માટે ડાહ્યા પુરૂષે સૂર્યના અને ચંદ્રનાને (બને નાસિકાના શ્વાસને) નિરોધ કરીને મનની શુદ્ધિ કરવી. ૭. दक्षिणे मदनद्वेषी, वामपार्श्वे स्थितो जिनः । अङ्गसन्धिषु सर्वज्ञः, परमेष्ठी शिवंकरः॥८॥
જમણી બાજુએ મદનદ્વેષી (કામદેવને નાશ કરનાર) રહ્યા છે, ડાબી બાજુએ જિનેશ્વર રહ્યા છે, અંગની સર્વ સંધિએને વિષે પરમેષ્ટી અને કલ્યાણ કરનારા સર્વજ્ઞ રહ્યા છે. ૮ पूर्वाशां श्रीजिनो रक्षे-दाग्नेयीं विजितेन्द्रियः। दक्षिणाशां परं ब्रह्म, नैतिं च त्रिकालवित् ॥९॥
મારી પૂર્વદિશાને શ્રીજિનેશ્વર રક્ષા કરે, અગ્નિખૂણાને જિતેંદ્રિય રક્ષા કરે, દક્ષિણ દિશાને પરબ્રહ્મ (પરમાત્મા) રક્ષા કરે, અને નૈતિ ખૂણાને ત્રિકાલજ્ઞાની રક્ષા કરે. ૯.
૧ કાળા પાઠાંતર ઠીક છે. ૨ મુક્તિસ્થાનમાં રહેલા