SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ તેથી તેણીને ત્યાં મૂર્છા આવી. પરન્તુ ભગવાને મેધ આપવાથી તેણીને વૈરાગ્ય ઉપન્યા અને પ્રભુ પાસે ચારિત્ર લઈ તે ચંદનબાળા સાધ્વી પાસે રહી. ગુરુણીની આજ્ઞા લઈ તેણે રત્નાવલી તપ કરી શરીર શાષવી નાખ્યું. આઠ વર્ષના દીક્ષા પર્યાય પછી અંત સમયે એક માપુનું અનશન કરી, કાળી–સાધ્વી કૈવલ્યજ્ઞાન પામી સેક્ષમાં ગયા. ૬૨ કાલીકુમારી. આમલકપા નગરીમાં કાલ નામને ગાથાતિ રહેતા. તેને કાલશ્રી નામની પત્ની હતી. તેનાથી તેને એક પુત્રી થઈ. તેનુ નામ કાલીકુમારી. તે યૌવનપણું પામી, પણ તેનુ શરીર વૃધ્ધા જેવું દેખાતું હતું. હાથ, પગ, સ્તનાદિ સર્વ અવયવા વૃદ્ધ સ્ત્રી જેવા દેખાતાં. તે અવિવાહિતા જ રહી. એકવાર તે પાર્શ્વનાથ ભગવાનની દેશના સાંભળવા ગઈ. ત્યાં તેને વૈરાગ્ય થવાથી માતાપિતાની રજા લઈને તે દીક્ષિત બની. પુછ્યુલા નામના આર્યજી પાસે તેણી ૧૧ અંગ ભણી અને ઉગ્ર તપ સંયમ આરાધવા લાગી. પરન્તુ કવશાત પાછળથી તે આચારમાં શિથિલ ખતી; અને શરીરની વિભુષા–શુશ્રુષા કરવા લાગી. હાથ, પગ, માઢું, માથું તેમજ શરીરના અન્યાન્ય અવયવા તે ધોતી; ઉઠવાની જગ્યાએ પાણી છાંટીને પછી તે ખેસતી. આવાં કાર્યાં ન કરવાનું પુષ્પબ્યુલા આર્યાજીએ તેણીને વારંવાર કહ્યું, છતાં શિથિલ બનેલી કાલી સાધ્વીએ તે માન્યું નહિ. એ રીતે ઘણા કાળ ચારિત્રમાં નિગમન કરીને, પૂર્વ મૃત્યાની આલેાચના લીધા વગર અંતિમ અનશન કરી તે મૃત્યુ પામી અને ચમરચંપા કાલાવતસક નામક વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે અઢી પલ્યેાપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહમાં અવતરશે અને મેાક્ષમાં જશે.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy