SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ જલદર, ભગંદર, આદિ ધણા રાગા હતા. હાથપગ સુજેલાં, આંગળીયા સડેલી, નાક કાનમાંથી નીકળતી રસી, મ્હાઢાં પર ગુમડાં, તેમાંથી નીકળતું લોહી, ઉલ્ટીમાંથી નિકળતું àાહી, અણુઅણુતી માંખીયા, ફાટેલાં કપડાં, ખાવા માટે ફ્રુટેલું ઠીબરૂં, પાણી માટે છુટેલા ઘડેા હાથમાં રાખી ધરધર ભટકતા આવા એક ભિખારી શ્રી ગૌતમે જોવાથી ‘કની વિચિત્રતા ’ પર વિચાર કરતા, તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને તેની હકીકત પૂછી. પ્રભુએ તેને પૂર્વ પરિચય આપતાં કહ્યું:— વિજયપુર નામનું નગર હતું. કનકરથ નામે રાજા હતા. ત્યાં ધન્વંતરી નામના વૈદ્ય હતા. તે વૈદિકકળામાં પ્રવીણ હતા અને આખા ગામની દવા કરતા હતા. દરદીઓમાંના કાઈને તે મચ્છીનું માંસ ખાવાનું કહેતા, કાને કાચબાનું માંસ ખાવાનું કહેતા, કાઇને અકરીનું, કાઇને રાઝનું, કાહ્ને મૃગનું, કાને ગાયનું તા કાઇને કબુતરનું. એમ જુદા જુદા પ્રાણીએનું માંસ ખાવાનું સૂચવતા અને તે પોતે પણ મચ્છીનું માંસ રાજ ખાતા હતા. વળી દારૂ પણ પીતા હતા. આવી રીતે માંસ દારૂમાં ચકચૂર બની ખીજાને માંસ ખાવાના ઉપદેશ આપી મહા પાપકમ સેવી ૩૨૦૦ વર્ષ જીવીને તે મરણ પામ્યા અને છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી નીકળીને તે ધન્વંતરી, સાગરદત્ત શાહુકારને ત્યાં ગોંગદત્તા સ્ત્રીની કુક્ષિમાં આવ્યા. ગર્ભમાં ગંગદત્તાને યક્ષની પુજા કરી દારૂ માંસ ખાવાના દોહદ થયા. સાગરદત્ત તે દોહદ પુરા કરાવ્યા. યક્ષના પ્રભાવે પુત્ર મળ્યા એમ માની તેનું નામ ઉંબરદત્ત રાખ્યું. બાલ્યાવસ્થા વીતાવી ઉબરદત્ત યુવાન થયા. તેના માતાપીતા ભરણુ પામ્યા. રાજાએ તેના ઘરમાંથી ઉંબરદત્તને હાંકી કાઢ્યો અને ઉંબરદત્તને થાડા વખત બાદ પાપકર્મના ઉદયથી ઉપર પ્રમાણે મહાન
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy