SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ એક કામધ્વજા નામની ગણિકા હતી. તે ઘણું ચતુર અને વિલક્ષણ હતી. ગાવામાં ઘણું પ્રવિણ, હાથીની ચાલે ચાલનારી, ચંદ્રમુખી, સુશોભિત અને ચિત્તાકર્ષક હતી. એક હજાર સોનામહોર તેને રાજા તરફથી મળતી, રથ પાલખી વગેરે રાજા તરફથી તેને બક્ષીસ આપવામાં આવ્યા હતા. અને સુખપૂર્વક તે દીવસે વ્યતીત કરતી હતી. ઉઝઝયકુમાર આ વેશ્યાના પ્રેમમાં પડ્યો અને ભેગ ભોગવવા લાગે. એકવાર રાજાની સ્ત્રીને ગુહ્ય સ્થાનમાં શળ રેગ ઉત્પન્ન થયો. તેથી રાજાએ આ ઉઝઝીયકુમારને કામધ્વજા ગણિકાના ઘરમાંથી કાઢી મૂક્યો. અને કામધ્વજાને પિતાના જમાનામાં રાખી. ગણિકાના ઘરમાંથી નીકળવાથી ઉઝઝીયકુમાર મૂછ પામે. કામધ્વજાના મેહમાં આસક્ત બનવાથી, તેમજ તેને ક્યાંઈ ચેન ન પડવાથી, તે હરાયા ઢેરની માફક રખડવા લાગ્યો અને કામધ્વજાને મળવાનો લાગ શોધવા લાગે. એકવાર બરાબર લાગ જોઈને તે કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે ભેગ ભોગવવા લાગ્યો. એટલામાં રાજા સ્નાન કરી, વસ્ત્રાલંકાર પહેરી કેટલાક માણસોની સાથે તે કામધ્વજા ગણુકાના આવાસમાં આવી પહોંચ્યો. ત્યાં કામ"વજાની સાથે ઉઝિઝયકુમારને ભોગવિલાસ કરતો જોયો. રાજા ક્રોધે ભરાયે. માણસે ભારફત તેને પકડાવ્યા અને ખુબ ભાર મરાવ્યા. અને હુકમ કર્યો કે આના બધા અંગો બાંધીને ખૂબ માર મારો. તેના નાક કાન કાપી નાખો અને બને તેટલે તેના પર જુલમ ગુજારી ગામમાં ફેરવી શુળી પર ચઢાવો. આ હુકમ સાંભળી ભાણસો તે પ્રમાણે કરવા તત્પર થયા. પ્રથમ તેને હાથ પગમાં બેડી પહેરાવી, નાક કાન કાપી નાખ્યાં, ચેર જેવા કપડા પહેરાવ્યા, મહાં કાળું કર્યું, શરીર પર ગેરૂ ચોપડી, અને ગામમાં ફેરવવા લાગ્યા. રસ્તામાં તેને ખૂબ માર મારતાં, તેના શરીરના ઝીણા ઝીણું કકડા કરી તેને ખવરાવતાં ખવરાવતાં, ત્રાસ પમાડતાં પમાડતાં ગામ વચ્ચેથી લઈ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy