SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા માગી; પણ પિતાએ જવાની રજા ન આપી, એટલું જ નહિ પણ તે છાનેખાને જતો ન રહે તે માટે ૫૦૦ રક્ષકે મૂક્યા. પરંતુ નિશ્ચયબળવાના આદ્રકુમાર બધાને ભૂલથાપ આપી, આર્યભૂમિમાં આવ્યા અને સ્વહસ્તે દીક્ષા લઈ મુનિ થયું. તે વખતે દેવોએ આકાશવાણીથી કહ્યું કે હે આદ્ર! “તું દીક્ષા ન લે, હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે.' પણ આદ્રકુમારે તે માન્યું નહિ અને દીક્ષિત થયે. કેટલાંક વર્ષો સંયમકાળમાં ગાળ્યા પછી, એક પ્રસંગે તે વસંતપુર નગરના ઉદ્યાનમાં આવ્યા અને કાઉસ્સગ ધ્યાને ઉભા રહ્યા. તેવામાં તે શહેરની કેટલીક શ્રીમંત બાળાઓ ઉદ્યાનમાં દેવાલયના દર્શને આવી. તેમાં શ્રીમતી નામની એક અવિવાહિતા કન્યા હતી, તે ધ્યાનસ્થ મુનિને દેખી મોહિત થઈ. નવયૌવનાઓ વરવરની રમત રમતાં” શ્રીમતીએ આ મુનિનો પગ પકડી આ મારા વર છે” એવી મીઠી મશ્કરી કરી. આદ્રમુનિ પિતાને ઉપસર્ગ આવશે, એમ ધારી ત્યાંથી વિહાર કરી ગયા. પરતુ શ્રીમતીની મશ્કરી સાચી હતી. આદ્રકુમાર મુનિ સાથે પરણવાને તેને દઢ મનભાવ હતા. શ્રીમતીએ વરની પસંદગીની વાત પિતાના પિતાને કહી. પિતાએ બીજે લગ્ન કરવા તેણીને સમજાવ્યું પણ તે એકની બે ન થઈ. શ્રીમતીએ દાન#ાળા માંડી અને સર્વ યાચકને સ્વહસ્તે દાન આપવા લાગી. આમ બાર વર્ષ પસાર થયા પછી દિશા ભૂલવાથી કે સંગવશાત્ આમુનિ પુનઃ વસંતપુરમાં આવ્યા અને શ્રીમતીએ માંડેલી દાનશાળામાં ભિક્ષાર્થે ગયા. શ્રીમતીએ મુનિને ઓળખ્યા–પકડ્યા અને પિતાને પત્ની તરીકે સ્વીકારવા આગ્રહ કર્યો, વળી જે મુનિ તેને સ્વીકાર ન કરે, તે પિતે આત્મહત્યા કરશે એવી બીક બતાવી.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy