SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ છ પુત્રને મેંપી પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. સુરાદેવ એક વખત ધ્યાનમાં લીન હતા, તે વખતે અર્ધ રાત્રિએ તેમને ચળાવવા માટે એક દેવ આવ્યો. તેણે રાક્ષસનું ભયંકર રૂપ કરીને વ્રત ભંગ કરવાનું સુરાદેવને કહ્યું; પણ સુરાદેવ ધ્યાનથી ડગ્યા નહિ, તેથી દેવે સુરાદેવના એક પછી એક ત્રણે પુત્રને લાવીને તેની સમીપમાં ઉભા રાખી તરવારથી કાપી નાખ્યા. અને તેમના માંસને કડાઈમાં સેકીને, હેમનું લોહી સુરાદેવના શરીર પર છાંટયું, છતાં સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ; તેથી તે દેવે વધારે કેધિષ્ટ બનીને સુરાદેવના શરીરમાં સોળ ભયંકર રોગો ઉત્પન્ન કરીને પીડા પમાડવાનું કહ્યું. આથી સુરાદેવ ત્રાસ પામ્યા અને તે દેવને પકડવા દોડ્યા. દેવ નાસી ગયો અને સુરાદેવના હાથમાં એક સ્તંભ આવ્યો. તેથી સુરાદેવે લાહલ કર્યો. આ સાંભળી તેમની સ્ત્રી ધન્ના સફાળે જાગીને ત્યાં દોડી આવી; અને કેલાહલનું કારણ પૂછ્યું. સુરાદેવે વાત કહી. ધન્નાએ કહ્યું. આપણા ત્રણે પુત્ર તે નિરાંતે ઊંધે છે. માટે દેવે તમને ધ્યાનથી ચળાવવા ઉપસર્ગ આપે છે. માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાઓ. સુરાદેવે પ્રાયશ્ચિત લીધું. તે પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી અને અંતિમ કાળે એક મહિનાનો સંચાર કર્યો. પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરીને સુરાદેવ સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી તેઓ મોક્ષગતિ પામશે. ૨૩૩ સુષમાદારિકા શ્રેણિક મહારાજાની રાજગૃહી નગરીમાં ધન્ના સાર્થવાહ નામે એક મહા ઋદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ સુષમાદારિકા, તે ઘણી સુંદર હતી. તે ધન્નાસાર્થવાહને ચિલાત નામનો એક નોકર હતો. તે બાળકને હંમેશાં ક્રીડા કરાવતો હતો. ક્રમે ક્રમે આ નોકર બાળકનું ઘરેણું, કપડાં વગેરે ચરવા લાગ્યો. શેઠને આ વાતની ખબર પડવાથી શેઠ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy