SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ તેમાંથી બચવાને વિચાર કરતાં એક યુક્તિ સુઝી આવતાં તે બોલ્યાઃ–રાણસાહેબ, ધન્યઘડી, ધન્યભાગ્ય, કે હમે મારા જેવા પામર કિકરને બોલાવીને ઉપકૃત કર્યો છે, પરંતુ વાત એવી છે, કે તે સાંભળી આપને દુઃખ થશે, માટે મને માફ કરજે. “શી વાત છે? રાણીએ આશ્ચર્યચકિત બની પૂછ્યું. સુદર્શને કહ્યું એ જ કે હું નપુંસક છું એટલે આપની ઈછા મારાથી તૃપ્ત નહિં થઈ શકે. આ સાભળી રાણીએ ગુસ્સે થઈને શેઠને કાઢી મૂક્યા. કેટલોક સમય વિત્યા બાદ શહેરમાં કૌમુદિ ઉત્સવ આવે. રાજ્યવંશી કુટુંબ અને આખું શહેર આનંદમગ્ન બની આમ તેમ ફરી રહ્યું છે, તેવામાં સુદર્શન શેઠના કામદેવ જેવા છ પુત્રે, સુંદર વસ્ત્રા• લંકારે પહેરીને રાજમાર્ગ પરથી પસાર થતા હતા, તે અભયારાણીએ જોયા. દાસીને પૂછતાં રાણીએ જાણ્યું કે તે સુદર્શન શેઠના પુત્રો છે. આથી રાણીને સુદર્શન પર અતિશય ક્રોધ થયું. તેણીએ કોઈપણ રીતે સુદર્શનનું વેર વાળવાને નિશ્ચય કર્યો. રાજા રાત્રે અંતઃપુરમાં રાણુ પાસે આવ્યા. અભયારણું કૃત્રિમ રુદન કરી રહી હતી. રાજાએ તેણીને શોકનું કારણ પૂછયું. રાણ બોલી: આ નગરને સુદર્શન નામનો શેઠ મહાદુષ્ટ છે, તેણે ગઈ રાત્રે મારા મહેલમાં ઘુસી જઈને મારા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતું, પરંતુ મેં તેને ધમકાવ્યા તેથી તે નાસી ગયો. નાથ, હવે મારે પ્રાણહત્યાજ કરવી પડશેઃ આપની હાજરીમાં સતીઓનાં શિયાળો લૂંટાય એના જેવું રાજનું બીજું અધેર કર્યું કહેવાય? રાજા અત્યંત ગુસ્સે થયો, તરતજ માણસોને મોકલી તેણે સુદર્શનને પકડી મંગાવ્યા અને રાણીની હાજરીમાં તેને કટુ વચનો કહી સંભળાવી શળીને હુકમ ફરમાવી દીધો. શહેરમાં હાહાકાર થયું. સુદર્શનનું કુટુંબ રડી રહ્યું હતું, પણ સુદર્શન દઢ હતો. તેને દુર્બાન લેશ માત્ર ન હતું. આનંદથી તે
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy