SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ માગણી કરી. વૈશ્યાએ કહ્યું:-મહારાજ, તમારે મારી સાથે સુખ ભાગવવું હાય તા હું કહું તેમ કરો. મુનિએ કહ્યુ, શી આજ્ઞા છે, કહેા. મરણાંતે પણ તમારી તે આજ્ઞા પાળવા હું તૈયાર છું. વેશ્યાએ કહ્યું:–મહારાજ, તમે જાણા છો કે અમે વેશ્યાએ ધન વિના કાઈ ને પેસવા ન દઈ એ. ‘પણ અમે તે। ત્યાગી સાધુ! અમારી પાસે ધન કયાંથી હાય?’ મુનિએ કહ્યું. ‘ત્યારે તમે નેપાળ દેશના રાજા પાસે જામે. તે રાજા સાધુને રત્નની કાંબળ આપે છે, તે મારે માટે લઈ આવેા. તે હું તમારી સાથે જરૂર ભાગવિલાસ કરૂં.' વેશ્યાએ કહ્યું. ‘કામાંધા નૈવ પતિ,’ એ સુત્રાનુસાર તે મુનિ સ્થિરવાસ રહેવાના ચામાસાના સમયને તરાડી વિહાર કરી નેપાળમાં ગયા, અને ત્યાંથી કાંબળ લઈ, ચેારાથી ઘેરાયેલા છતાં ખચીને સહિસલામતે વેશ્યા પાસે આવી પહોંચ્યા. વેશ્યાએ તે કાંબળ લીધી. પછી તેણીએ સ્નાન કરીને તે રત્ન જત્રિ કાંબળથી પેાતાનું શરીર લુછ્યું, અને તે કાંબળ ગટરમાં ફેંકી દીધી. મુનિ આ જોઈ આશ્ચય પામીને ખેલ્યાઃ–રે, કાસ્યા, જીવના જોખમે આ કાંબળ હું લાવ્યેા, તેની આ દશા ? આ તે કેવી મૂર્ખતા ! વેશ્યાએ સ્મિત કર્યું અને ખેાલી. મહારાજ, રત્નકાંબળની કિંમત વધારે કે તમારા સયમની ? મુનિ વિચારમાં પડયા. પુનઃ વેશ્યાએ શું: મહારાજ, વિચાર શા કરા છે? રત્ન કાંબળની ચિંતા કરવા કરતાં, તમારાં સંયમ રત્નને દુર્ગંધથી ભરેલી સ્ત્રીરૂપ આ ગંદી ગટરમાં ફેંકી દેવાને તૈયાર થયા છે, તેની ચિંતા કરેાને! અસંખ્યકાળ સુધી
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy