SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ તે વખતે દેશમાં મરકી ચાલતી હતી, તે બંધ પડી ગઈ, તેથી તેમનું “શાંતિનાથ” એવું નામ પાડયું. શ્રી શાંતિનાથ પૂર્વભવમાં મેઘરથ રાજા હતા, તે વખતે તેમની અહિંસાપ્રિયતાની પ્રશંસા ત્રિભુવનમાં થઈ રહી હતી. ઈકસભામાં તેમની પ્રશંસા થતાં એક મિથ્યાત્વી દેવે મેઘરથની પરીક્ષા કરવા એક પારેવું બનાવી તેમના આશ્રયમાં ઉરાડી મૂક્યું હતું, પાછળથી તે દેવે બાજરૂપ કરી રાજા પાસે પિતાનું ભક્ષણ માગ્યું. રાજાએ કહ્યું કે શરણાગતને રક્ષણ આપવું, એ મારો ધર્મ છે. બાજપક્ષીએ કહ્યું કે માંસ એ ભારે ખોરાક છે. જે પારેવું ન આપી શકે તો તેનાં શરીરના ભારભાર તારા શરીરનું માંસ કાપી આપ. રાજાએ તે કબુલ કર્યું. એક બાજુ એક પલ્લામાં પારેવું મૂક્યું, બીજી તરફ બીજા પલ્લામાં રાજા છરીવતી પોતાના શરીરનું માંસ કાપીને મૂકતા, પણ દેવમાયાથી પારેવાવાળું પલ્લું નીચું જ રહેતું. પ્રજામાં હાહાકાર વર્તાયો. પ્રધાન વગેરેએ રાજાને તેમ ન કરવા સમજાવ્યા, પરંતુ મેઘરથરાજા બીજાના જીવના બચાવ આગળ પોતાના શરીરને અલ્પ ઉપયોગી ગણતા. છેવટે રાજાના પ્રણામ શુદ્ધ જાણું દેવ પ્રસન્ન થયો. તેણે મેઘરથની માફી માગી. રાજાએ અનુક્રમે અહિંસાધર્મમાં સર્વોત્કૃષ્ટ બની દીક્ષા લીધી, અને સન્ત તપ કરી દેવગતિમાંથી અહિંયાં જન્મ લીધો. યુવાવસ્થા પામતાં તેઓ ૬૪૦૦૦ સ્ત્રીઓ પરણ્યા. અને છખંડ સાધી ચક્રવર્તી થયા. તેઓ ૨૫ હજાર વર્ષ કુમારપણે રહ્યા. ૫૦ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્ય ભગવ્યું. તે પછી લોકાંતિક દેવાની પ્રેરણાથી વરસીદાન આપી એક હજાર પુરૂષ સાથે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. સર્વ સમૃદ્ધિને ત્યાગ કર્યો. સખ્ત તપશ્ચર્યા કરતાં પ્રભુને એક જ માસને અંતે કૈવલ્યજ્ઞાન થયું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમને ૯૦ ગણધરો હતા. શાંતિનાથ પ્રભુના શાસનપરિવારમાં દર હજાર સાધુઓ,
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy