SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પડચો કે શું હું આ સત્ય જોઉં છું કે સ્વમ ? શું આ સાક્ષાત્ દેવીએ છે ? હું દેવ થયા હઈશ ? આ વખતે તેને ભગવાનનાં વચન યાદ આવ્યાં. તેણે પેલી સ્ત્રીએ સામે જોયું તે તેમના પગ જમીનને અડકેલા હતા, તેમની આંખા ક્ષણે ક્ષણે પલકારા મારી રહી હતી. આથી તે સમજ્યા કે ખરેખર ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હવે મારે મારા ચારીનેા ધંધે ત્યજી દેવા જોઈએ, અને જે મહાવીરનું એકજ માત્ર વાક્ય સાંભળવાથી આટલું જાણવાનું મળ્યું તા હૅમના હુ ંમેશના સંસથી કેટલાયે લાભ મળે, એમ વિચારી અભયકુમાર આવતાં તેણે પોતાની ચેારીના કૃત્યાને પશ્ચાત્તાપ કરી પ્રવાઁ લેવાની વાત વિદિત કરી. અભયકુમારે તેને છેડી દીધા. રાહિણીયે એકઠું કરેલું તમામ ધન શ્રેણિકરાજાને સોંપ્યું અને તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સપ્ત તપાદિ કરી તે દેવલાકમાં ગયા. ૧૯૭ લક્ષ્મણ. અયેાધ્યાના રાજા દશરથની સુમિત્રા રાણીથી ઉત્પન્ન થયેલા પુત્ર. રાવણ નામના પ્રતિવાસુદેવને મારી આઠમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા; અને રામ બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ ખંડ જીતી લક્ષ્મણુ અયેાધ્યાના રાજસિહાસને અચક્રવર્તી તરીકે બિરાજ્યા. તેમનું બીજું નામ નારાયણ હતું. બારહજાર વર્ષનું આયુષ્ય ભાગવી, મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી તેઓ મૃત્યુ પામી ચેાથી નરકે ગયા. ૧૯૮ વષ્ણુ. વિશાળા નગરીના ચેડારાજાના નાગ નામના રથિકના પુત્ર. તે ભ. મહાવીરને પરમ ભક્ત હતા. તેણે શ્રાવકના બારવ્રત ધારણ કર્યાં હતા. તે મહાસમ સેનાપતિ પણ હતા, અને તપશ્ચર્યામાં પણ તે મહાસમર્થ હતા. એકવાર છઠ્ઠના પારણે અહમ કરવાની તેની ઈચ્છા
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy