SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ છે. માટે બીજોરાપાક, જે તમે બનાવ્યો છે તે વહેરા. રેવતી બોલીઃ મહારાજ, તે તે વાપરી નાખ્યો. સિંહમુનિ બેલ્યાઃ પ્રભુના કહેવાથી હું જાણું છું કે તે પાક તમારા વાસણમાં ઘેડ ચેટી રહ્યો છે. આ જાણી હર્ષ પામી, રેવતીએ બીજોરાપાકનું પાત્ર લાવી, તેમાં એટલે થોડેક બીજોરાપાક ઉત્કૃષ્ટ ભાવથી સિંહમુનિને વહેરાવ્યો. આ ભાવનાના પ્રતાપે રેવતી શ્રાવિકાએ તીર્થંકર નામ કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે ગૃહસ્થ ધર્મનું નિરતિચારપણે પાલન કરી તે દેવલોકમાં ગઈ. ૧૫ રહિણી. શ્રેણિક રાજાની રાજગૃહી નગરીમાં ધાસાર્થવાહ નામને મહાદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોને ચાર સ્ત્રીઓ હતી. જેમના નામ ૧ ઉઝઝીયા, ૨ ભગવતી, ૩ રક્ષિતા, ૪ રોહિણું અનુક્રમે હતાં. એક વખત ધન્નાસાર્થવાહને વિચાર થયે કે હું મહારા કુટુંબમાં અગ્રગણ્ય છું. દરેક કાર્ય હારી સલાહથી જ કરવામાં આવે છે. પરંતુ મહારી ગેરહાજરીમાં અગર હારા મૃત્યુ પછી મારી સઘળી મીલ્કતની શી વ્યવસ્થા થશે, અથવા તે સારી રીતે કોણ સાચવી શકશે, અગર કુટુંબમાંના કેઈ માણસને કુરસ્તે જતા અથવા અકાર્ય કરતાં કોણ અટકાવશે; માટે હું હારી ચાર પુત્રવધુઓને ડાંગરના પાંચ અખંડ દાણું આપીને પરીક્ષા કરું કે તેમાં કોણ અને કેવી રીતે તેની રક્ષા કરે છે, અથવા વૃદ્ધિ કરે છે. એ વિચાર કરીને બીજે દિવસે સવારમાં શેઠે મિત્રજ્ઞાતિ વગેરેને જમણું આપ્યું. તેમાં ચાર પુત્રવધુઓને બોલાવી સત્કાર સન્માન આપી જમાડી. પછી જ્ઞાતિજનો વચ્ચે મોટી પુત્રવધુ ઉઝઝીયાને બોલાવી, અને કહ્યું –વહુ, લ્યો આ પાંચ ડાંગરના દાણા, અને
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy