SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ચાલવાની શાંત ગતિ, તેમના પહેરવેશ, તેમનું ચળકતું લલાટ જોઈ મૃગાપુત્ર તે મુનિના સામે અનિમેષ નેત્રે જોઈ જ રહ્યા. પૂર્વ સંસ્કારના બળે મૃગાપુત્રને લાગ્યું કે પૂર્વે મેં આવું સ્વરૂપ કયાંક જોયું છે, મુનિ સ્વરૂપના ભાવ ચિંતવતા ચિંતવતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પોતે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. સંસાર ઉપર તત્કાળ તેમને અરૂચિ થઈ. અને જન્મ મરણના ફેરાથી મુક્ત થવાના તેમણે દ્રઢ સંકલ્પ કર્યાં. તરતજ તેઓ માતપિતા પાસે આવ્યા અને કહ્યું: હે માતા પિતા, મ્હને પૂર્વ ભવનું સ્મરણ થયું છે. તિર્યંચયાનિમાં જન્મી મે ઘણા ઘણા દુ:ખા ભાગવ્યાં છે. અને ચારિત્ર પાળવાથી હું મનુષ્યભવ પામ્યા છું; એટલે મહાન પુણ્યના પરિબળે પ્રાપ્ત થયેલા આ મનુષ્ય ભવ હું સંસારના રાગ, રંગ, માહ માયામાં વેડફી દેવા માગતા નથી. હું સંસાર ભયથી ત્રાસ પામ્યા છું, માટે મ્હને દીક્ષા લેવાની રજા આપે. વળી અત્યારે જે સુખ હું ભાગવું છું તે પણ ક્ષણિક અને અસ્થિર છે. આ રાજવૈભવ, બાદશાહી મહેલાત, અખૂટ ધન, ધાન્યના કાઠારા, બાગ, બગીચા, સાનું, રૂપું, હીરા, માણેક, સ્ત્રી, પુત્ર, ભાઈબહેન, એમાંની એક પણ ચીજ સાથે આવવાની નથી. આ શરીર પણ સાથે આવવાનું નથી. માત્ર જીવે કરેલાં પાપ અને પુણ્યજ પરભવે જીવના સાથી છે. વળી જેમ કાઈ ધરમાં આગ લાગી હોય, અને સાનું રૂપું હીરા માણેક કે જે કાંઈ સાર વસ્તુએ કાઢી લેવામાં આવે છે, તેમ આ સંસારમાં પણ જન્મ, જરા, મૃત્યુના દાવાનળ સળગી રહ્યો છે. અને હવે સમજ્યા પછી એક ક્ષણ હું તેમાં આસક્ત રહેવા ઈચ્છતા નથો. માટે હે માતાપિતા, મને સહર્ષ દીક્ષા લેવાની રજા આપેા. માતાપિતા ખાલ્યાઃ—હે પુત્ર, તું સુકેામળ છે, તે હજુ તડકો છાંયડા જોચેા નથી. ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. ચારિત્ર એ તરવારની ધાર જેવું છે, લેાઢાના ચણા ચાવવા ખરેાબર છે. એક અગાધ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy