SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પહેલી નરકમાં રાશી હજાર વર્ષની સ્થિતિએ ઉપજીશ. આ સાંભળી રેવતી દિન બની ગઈ, અને ભયભીત બની કલ્પાંત કરવા લાગી. પરિણામે તે રોગગ્રસ્ત બની. સાત રાત્રિ થતાં તે મરણ પામી, અને પહેલી નરકે ગઈ. તે સમયે પ્રભુ મહાવીર પધાર્યા. મહાશતકે રેવતી પ્રત્યે વાપરેલા અઘટિત શબ્દો શ્રાવકને બોલવા કલ્પે નહિ” તે વાત મહાશતકને કરવા અને તેનું પ્રાયશ્ચિત લેવડાવવા માટે શ્રી ગૌતમને મહાશતક પાસે મોકલ્યા. ગૌતમને દેખી મહાશતકે વંદન કર્યું. શ્રી ગૌતમે અઘટિત શબ્દોનું મહાશતકને પ્રાયશ્ચિત કરાવ્યું. મહાશતક પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થયા. અનુક્રમે ધર્મનું યથાયોગ્ય આરાધન કરી, એક માસને સંથારે ભોગવી મહાશતક કાળ કરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. ૧૭૯ મહાસેન કૃણાકુમારી તે રાજગૃહિના શ્રેણિક રાજાની રાણુ અને મહાસેન કુમારની માતા હતી. પુત્ર મરણના શોકથી કાલી રાણની માફક તેણે મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું; અને વર્ધમાન તપ શરૂ કર્યો. તે એવી રીતે કે –૧ આયંબિલ, ૧ ઉપવાસ, ૨ આયંબિલ ૧ ઉપવાસ એમ આયંબિલમાં એકેક વધે અને તે ઉપર ૧ ઉપવાસ કરે, એમ ૧૦૦ આયંબિલ એક સાથે કર્યા. બીજે તપ પણ ઘણે કર્યો. ચંદનબાળા ગુરૂણીને પૂછી તેમણે સંથારો કર્યો; સંથારામાં શિખેલા ૧૧ અંગની સજઝાય (સ્વાધ્યાય) કરતાં, એક માસના અનશનને અંતે ૧૭ વર્ષ ચારિત્ર પાળી તેઓ મેક્ષમાં ગયા. ૧૮૦ મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર, રાજગૃહ નગરના સુમિત્ર રાજાની પદ્માવતી રાણની કુક્ષિમાં, દશમાં પ્રાણત દેવલોકમાંથી ઍવીને શ્રાવણ શુદિ પૂનમે ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પુરે
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy