SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ભગવાન નેમિનાથને પૂછ્યું:—પ્રભુ, નિષકુમાર આવું સુંદર રૂપ શાથી પામ્યા? પ્રભુએ જવાબ આપ્યાઃ આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં રાહીડ નગરમાં મહાબળ નામે રાજા હતા. તેને પદ્મા નામની રાણી હતી, તેનાથી તેમને વીરગત નામે પુત્ર થયા. તેને બત્રીસ કન્યા પરણાવવામાં આવી. સ્ત્રીઓ સાથે સુખ ભાગવતા, તે કુમાર આનંદમાં પેાતાના દિવસેા પસાર કરતા હતા. તેવામાં કોઈ એક પ્રસંગે સિદ્ધાર્થ નામના મહાગુણવંત આચાય તે રાહીડ નગરમાં પધાર્યાં. પરિષદ વંદન કરવા ગઈ, તેમની સાથે વીરગત કુમાર પણ ગયા. મુનિની દેશના સાંભળી વીરગતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને છઠ્ઠ, અમાદિ ઉગ્ર તપશ્ચર્યાં કરવા માંડી. અંતિમ સમયે બે માસનું અનશન કરી, શુદ્ધ ચારિત્ર પાળી વીરગત મુનિ કાળધર્મ પામી પાંચમા દેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તપને પ્રભાવે તે અહિં અવતર્યાં છે. પ્રભુ તેમનાથ ત્યારપછી પેાતાના શિષ્ય સમુદાય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિષકુમાર નિરતિચારપણે શ્રાવકના વ્રતાનું પાલન કરે છે. એકવાર પૌષક્રિયામાં તેમણે ભાવના ભાવી કે ધન્ય છે તે નગર, ગ્રામ, પ્રજાજનાને કે જ્યાં પ્રભુ બિરાજતા હશે; ભગવાનની અમૃત દેશનાના લાભ લઈ કર્ણે પવિત્ર કરતા હશે ! મ્હારાં એવાં ક્યાંથી પુણ્ય હોય કે પ્રભુ આ સમીપના નંદનવનમાં પધારે અને હું હૅમના દર્શન કરી જન્મ સફ્ળ કરૂં. બરાબર એજ વખતે દીનદયાળ પ્રભુ નંદનવનમાં પધાર્યાં. નિષધકુમારને પ્રાતઃકાળે સમાચાર મળ્યા, એટલે તે પૌષધ પારી ઘેર આવ્યા; પછી તે હ સહિત પ્રભુદર્શને જવા તત્પર થયા. તે ચાર ઘટવાળા એક સુંદર રથમાં બેઠા અને મોટા સમારંભપૂર્ણાંક ભગવાનના દર્શને ગયા. દેશના સાંભળી વૈરાગ્યવાન અન્યા અને માતાપિતાની રજા મેળવી દીક્ષિત થયા. તે પછી તેઓ ૧૧ અંગ ભણ્યા, ઉગ્ર તપશ્ચર્યાં કરી, અને નવ વર્ષનું ચારિત્ર પાળી, ૨૧ દિવસનુ અનશન કરી, સર્વો -
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy