SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ૧૦૩ જરાકુમાર, તેઓ કૃષ્ણ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. ગજસુકુમારનું સોમિલે આપેલા પરિસહ વડે મૃત્યુ થયાથી, કૃષ્ણ પિતાનું પુણ્ય ઓછું થયું જાણી શ્રી નેમિનાથ પ્રભુને પૂછેલું કે મારું મૃત્યુ કેવી રીતે થશે ? પ્રભુએ કહેલું કે દ્વૈપાયન ઋષિના ક્રોધનો ભંગ બની દ્વારિકા નગરી બળશે, તેમાં તમે તથા બળભદ્ર બચી જશો. અને તમારું મૃત્યુ તમારા ઓરમાન ભાઈ જરાકુમારના હાથથી થશે. આ વાતની જરાકુમારને ખબર પડતાં, તે પોતાના હાથથી ભાઈનું મૃત્યુ થતું બચાવવા દ્વારિકા નગરી છડી ગયા અને વનમાં રહેવા લાગ્યા; પણ નિમિત્ત મિથ્યા થતું નથી. એ અનુસાર દ્વારિકા નગરી બળી ત્યારે કૃષ્ણ અને બળભદ્ર દ્વારિકા છોડીને, પાંડેને શરણે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણને તૃષા લાગી. બળભદ્ર તેમને માટે પાણી શોધવા ગયા. દરમ્યાન જરાકુંવર ફરતા ફરતા તે સ્થળે આવ્યા અને કૃષ્ણના પગના પલ્મને લીધે મૃગનો ભાસ થવાથી તેમણે બાણ છોડયું. તે બાણ કૃષ્ણના પગને વીંધી કપાળિમાં વાગ્યું; એટલે કૃષ્ણ બૂમ પાડી, આ સાંભળી જરાકુમાર ચમકયા અને કૃષ્ણને મૂછગત સ્થિતિમાં જોઈ પશ્ચાત્તાપ કરતા વિલાપ કરવા લાગ્યા. તેને શ્રીકૃષ્ણે કહ્યું –ભાઈ, બનવા કાળ બને છે, વૃથા શોક કરવાથી કાંઈ વળે તેમ નથી, પણ તું હવે જલ્દી અહિંથી જતો રહે, કારણ કે મારા માટે પાણી લેવા ગયેલા બળભદ્ર અહિં આવી પહોંચશે તો તમને મારી નાખશે. જવાબમાં જરાકુમારે કહ્યું –ભાઈ, આવી અવસ્થામાં તમને અહિં મૂકીને મારાથી કેમ જવાય, આખરે શ્રીકૃષ્ણના ખૂબ સમજાવવાથી જરાકુમાર કૃષ્ણના હાથની મુકિકાની નિશાની લઈ પાંડવોને ખબર આપવા માટે પાંડુ મથુરા ભણું ચાલ્યા ગયા; જ્યાં તેમણે પોતાનું શેષ જીવન વિતાવ્યું.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy