SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ કરતાં કરતાં ત્યાં પધાર્યા. પરિષદ્ વંદન કરવા ગઈ. જમાલી પણ વાત જાણવાથી અશ્વ પર આરૂઢ થઇને પ્રભુને વાંદવા ગયો. પ્રભુએ દેશના આપી. જમાલી પ્રતિબોધ પામ્યો. ત્યાંથી ઘેર આવી માતા પિતાની રજા મેળવી, પાંચસો માણસો સાથે દીક્ષિત થયો. દીક્ષા લઈને જમાલીપુત્ર પ્રભુ મહાવીરની સાથે તપ સંયમથી આત્માને ભાવતાં વિચરવા લાગ્યા. એકવાર જમાલીએ પ્રભુ મહાવીરને કહ્યું કે મહારે જન પદ દેશમાં વિહાર કરવાની ઈચ્છા છે. પ્રભુ મહાવીર જાણતા હતા કે મેરૂ જેમ નિશ્ચળ પુરૂષો જ જન પદ દેશમાં ટકી શકશે. તેથી તેઓએ તે વાતને આદર આપ્યો નહિ, અને મૌન રહ્યા. જમાલી અણગાર પિતાની સાથે પાંચસો શિષ્યોને લઈ પ્રભુ મહાવીરની પણ અવગણના કરીને જનપદ દેશમાં વિહાર કરવા લાગ્યા. ફરતા ફરતા તે શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે નિરસ અને તુચ્છ આહાર જમવાથી જમાલીના શરીરમાં રોગ ઉત્પન્ન થયો અને અસહ્ય વેદના થવા લાગી, તેથી પોતાને માટે પથારી કરવાનું તેમણે બીજા મુનિને કહ્યું. પીડા અત્યંત થતી હોવાથી બે ત્રણ વાર તેમણે મુનિને કહ્યુંઃ મારી પથારી કરો છો કે કરી છે? મુનિએ જવાબ આપ્યો. તમારી પથારી કરી નથી પણ કરીએ છીએ. જમાલીને પ્રભુ વચનમાં તરત શંકા થઈ કે પ્રભુ મહાવીર પ્રરૂપે છે કે “ચાલવા માંડે તેને ચાલ્યા કહીએ. નિજરતો હોય તેને નિજ કહીએ તે ખોટું છે. કેમકે પથારી કરતા થકા કરી નથી. પાથરતા છતાં પાથરી નથી. આ વાત તેમણે બીજા સાધુઓને સમજાવી. તે વાત કેટલાકને રૂચી અને કેટલાકને ન રૂચી. ન રૂચી તેઓ ચાલ્યા ગયા અને રૂચી તેઓ જમાલી પાસે રહયા. જમાલી વિરૂદ્ધ પ્રરૂપણું કરવા લાગ્યા. ત્યાંથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યા અને કહ્યું કે મને કૈવલ્યજ્ઞાન થયું છે, હું અરિહંત, જિન, કેવળી છું.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy