SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પચીસ દિવસે આ અભિગૃહ પ્રભુને પુરો થયો. સુપાત્ર દાનના પ્રભાવથી તત્કાળ ચંદનબાળાની બેડીઓ તુટી ગઈ. મસ્તકે સુંદર વાળ આવી ગયા અને દેવતાઓએ ત્યાં ધનની વૃષ્ટિ કરી. વાત ગામમાં પ્રસરી ગઈ ધનાવહ શેઠ લુહારને બોલાવીને આવ્યો, પણ તે ચકિત થઈ ગયો. તે પોતાની જાતને ધન્ય માનવા લાગે અને સતીની પ્રશંસા કરવા લાગ્યો. ધનની વૃષ્ટિ થયાની વાત સાંભળતાં મૂળા તે હાંફળી ફાંફળી દોડતી આવી, અને ધન લઈ લઈને ખોળામાં મૂકવા લાગી, પણ તે તો દાઝવા લાગી. કારણકે ધન મૂળાના ખોળામાં પડતાં જ અંગારા થઈ જતા. સૌ કઈ મૂળાને ધિક્કારવા લાગ્યા. ચંદનબાળાએ ત્યાંથી દીક્ષા લેવાને નિરધાર કર્યો. ધનાવહ શેઠે આ સઘળું ધન ચંદનબાળાના દીક્ષા મહોત્સવમાં ખર્ચવાનું નક્કી કર્યું. ચંદનબાળા પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા, અને આકરાં તપ જપ વડે વિશુદ્ધ સંયમ માર્ગમાં પ્રવર્તતાં તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા. ૯૬ ચંદ્રછાયા. એ અંગદેશની રાજ્યધાની ચંપાનગરીના રાજા હતા. પૂર્વભવમાં તે ધરણ નામે મહાબળકુમારના મિત્ર હતા, તેમણે મહાબળ સાથે દીક્ષા લીધી હતી, અને તપના પ્રભાવે જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી તે ચંપા નગરીમાં રાજ્યકુમાર તરીકે અવતર્યા. યોગ્ય સમયે રાજગાદી પર આવ્યા. તે નગરમાં અહંન્નક નામે શ્રાવક વ્યાપારી હતો. એકવાર તે વહાણ લઇ દેશાવરમાં વેપાર કરવા ગયેલ, ત્યાંથી પુષ્કળ ધન કમાઈને દેશમાં આવતા હતા, તેવામાં રસ્તામાં તેને દેવ પાસેથી દિવ્ય કુંડલો
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy