SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ વેશ્યાએ ઝડપ્યું. તે વેશ્યા એક શ્રાવિકા હાવાનેા દંભ કરી અભયકુમાર પાસે રાજગૃહમાં આવી. અભયકુમારે તેણીને યાગ્ય સત્કાર કર્યાં. વેશ્યા પણું અભયકુમારને આદરભાવ આપતી, અને ધાર્મિક ક્રિયાએ કરતી અભયકુમારને ત્યાં રહી. દરમ્યાન લાગ સાધી તેણીએ અભયકુમારને એકવાર ધેન ઉત્પન્ન કરનારા પદાથૅ ખવરાવ્યા. આથી અભયકુમાર બેભાન બન્યા, આ તકના લાભ લઈ યુક્તિપૂર્ણાંક તે વેશ્યા અભયકુમારને ઉજ્જિયનીમાં લઈ ગઈ અને રાજા ચડપ્રદ્યોતને સોંપ્યા. છતાં ચડપ્રદ્યોતે વેશ્યાના આ કૃત્યને ઈષ્ટ ન ગણ્યું. અહિં અભયકુમારે કેટલીક બાબતામાં ચંડપ્રદ્યોતને બચાવ્યા, તેથી તેણે અભયકુમારને છોડી મૂકયા. પણ ચડપ્રદ્યોતના જુલ્મી વર્તાવથી અભયકુમારે કાઈપણ ઉપાયે ચંડપ્રદ્યોને તેજ ઉન્નયની નગરીની મધ્યમાંથી આંધીને લઈ જવાના નિરધાર કર્યાં. કેટલાક વખત પછી અભયકુમાર પોતાની સાથે એ સ્વરૂપવાન વેશ્યાઓને લઈ, વણિકના વેશમાં ઉજિયનીમાં આવ્યા અને ત્યાં ચૌટા વચ્ચે દુકાન કરીને રહ્યો. તે દરમ્યાન એકવાર ચડપ્રદ્યોત્ રાજાની દૃષ્ટિ આ વેશ્યા પર પડી, તેથી તે કામાંધ થયા અને કાઈ પણ રીતે આ વેશ્યાને મેળવવાને તેણે નિશ્ચય કર્યાં. એકવાર અભયકુમારની ગેરહાજરીમાં રાજાએ વેશ્યાને પેાતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, ત્યારે વેશ્યાએ કહ્યું કે આ અમારા ભાઈ આજથી સાતમે દિવસે બહાર ગામ જવાના છે; તે જાય એટલે સુખેથી તમે અમારા મકાને આવજો. અહિં અભયકુમારે એક બીજી યુક્તિ કરી રાખી હતી. તે એ કે, તેણે એક બીજો માણસ નાકર તરીકે રાખી લીધા હતા અને તેનું પ્રદ્યોત એવું કૃત્રિમ નામ ધારણ કરાવ્યું હતું. તેમજ તેને ગાંડા જેવા મનાવી ખેાલતા ખાટલામાં સુવાડી રાજ આવતા. બરાબર સાતમે દિવસે 66 ” એમ ખેલતા હું ઉદ્યોત છું તેને વૈદ્યને ત્યાં લઇ જવામાં પ્રદ્યોતુ રાજા અભયકુમારના
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy