SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ અને તે સાધુની સાથે તેજ કોટડીમાં એક વેશ્યાને પૂરી, કોટડીના દ્વાર બંધ કરાવ્યા. ત્યારપછી શ્રેણિકે મહેલમાં આવીને ચેલણને કહ્યું કે તારા ગુરૂ સ્ત્રીઓ સાથે રાત રહે છે અને વ્યભિચાર સેવે છે. જવાબમાં ચલણાએ કહ્યું કે અમારા ધર્મગુરૂ કદી સ્ત્રીઓને સ્પર્શ ન કરે, પરંતુ તમારા જ ધર્મગુરુઓ સંબંધમાં આવું હાય. બંનેએ આ વાતની સવારમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાનું નક્કી કર્યું. રાજાએ શહેરના લોકોને જન ધર્મના સાધુઓનું દુષણ નિહાળવા પ્રાતઃકાળે વહેલાસર કોટડી આગળ આવવાનું સૂચન કરાવી દીધું હતું. આ તરફ સદ્ભાગ્ય મુનિ લબ્ધિવંત હતા. તેથી જનધર્મ પરનું કલંક ટાળવા તેમણે પોતાની પાસે સાધુવેશ લબ્ધિ વડે બાળી મૂકો. આથી પેલી વેશ્યા ભય પામીને દૂર ઉભી રહી. સાધુએ પિતાનું રૂપ પણ ફેરવી નાખ્યું. સવારે લોકોની ઠઠ્ઠ કોટડી પાસે જમા થઈ રાજા અને રાણી તે સ્થળે આવ્યા. રાણુના દેખતાં રાજાએ સીલ કરાવેલી કોટડી ઉઘડાવી, તો તેનાં ભારે આશ્ચર્ય વચ્ચે રાજાએ જૈન સાધુને જોયા નહિ, પણ અન્ય સાધુને વેશ્યા સાથે બહાર નીકળતાં જોયા. આથી રાજા લજજા પામ્યા. ત્યારથી તેમને જન ધર્મ પ્રત્યે કંઈક પ્રેમાનુરાગ થયો અને ત્યારબાદ શ્રેણિક રાજા, અનાથી મુનિના સત્સંગથી ચૂસ્ત જન બન્ય. ચેઘણું પર રાજાને અત્યંત સ્નેહ હોવાથી તેને પટ્ટરાણી પદે સ્થાપી હતી. ચેલણથી શ્રેણિકને, કોણિક, હલ અને વિહલ નામના ત્રણ પુત્રો થયા હતા. કોણિક ઉદર સ્થાનમાં આવતાં, સતી ચિલશાને શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયેલે, તે વિચક્ષણ અભયકુમારે પૂરો કર્યો હતો. ચલણ એક પ્રભાવશાળી અને સતી શિરોમણું સન્નારી હતી.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy