SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ખાવાના દોહદ થયેલા. આથી ગર્ભને અનિષ્ટકારી સમજી, કસને જન્મ થતાંજ રાણીએ તેને કાંસાની પેટીમાં ઘાલી, કંસના પિતાના નામની મુદ્રિકા તેને પહેરાવી, 'નદીમાં તરતા મૂકયા. તરતી તરતી તે પેટી સૌરીપુરના એક વિણકને હાથ આવી, તેણે તેમાંથી આ બાળકને કાઢયા અને તેનુ પાલન કરવા લાગ્યા. આગળ જતાં તે તાકાની થવાથી વિણકે તેને વસુદેવ રાજાને સોંપ્યા. વસુદેવે તેને યુદ્ધકળા શીખવી. ત્યારપછી કંસે સિંહરથ રાજાને પકડયો અને જીવયશા નામક રાજકન્યા પરણ્યા. પછી તેણે ઉગ્રસેન પાસેથી મથુરાનું રાજ્ય મેળવ્યું, અને પિતાને કેદમાં પૂર્યાં. વસુદેવ અને કંસને મિત્રાચારી હતી. આ મિત્રાચારીના બદલામાં કંસે પેાતાના કાકા દેવક રાજાની દીકરી દેવકી વસુદેવને પરણાવી. C આ ઉત્સવ વખતે જીવયશાએ અતિમુક્ત મુનિની મશ્કરી કરેલી, તેના બદલામાં અતિમુક્ત મુનિએ તેને કહ્યું કે આ દેવકીના સાતમા ગર્ભ તમારા કુળને અને તમારા પતિનેા નાશ કરશે. આથી જીવયશા ગભરાઈ ગઈ. આ વાત તેણે પોતાના પતિ કંસને કહી. ક ંસે દેવકીની સુવાવડા પેાતાને ત્યાં કરાવી; પરન્તુ તેનેા નાશ કરનાર કૃષ્ણ તા દૈવયેાગે જીવતા જ રહી ગયા. દેવકીને અવતરેલા પ્રથમના છ ગાઁ માયા વડે સુલસાને ત્યાં મૂકાયા હતા, અને સુલસાના મૃત બાળકો દેવકીની ગાદમાં પડચા હતા, જેને પત્થર સાથે અફાળાને કૅંસ પેાતાના વૈર બદલ સતાષ પામીને ફેંકી દેતા. સાતમા શ્રી કૃષ્ણનું સાહરણ દેવે ગાકુળમાં નંદ નામના ગેાવાળની યશાદા નામક સ્ત્રીને ત્યાં કર્યું અને યશેાદાને જન્મેલી પુત્રી દેવકીની ગાદમાં મુકી. દેવકીને બાળક અવતર્યાની ખબર પડતાં કંસ ત્યાં આવ્યા અને મુનિનુ વચન જુઠું માની, તેણે તે પુત્રીનું નાક છેદી, દેવકીને સુપ્રત કરી. આગળ જતાં જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા અને પોતાના માતા
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy