SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ કયી. અયોધ્યા નગરીના રાજા દશરથની તે રાણી હતી. કેકેયીને પરણીને આવતાં રસ્તામાં બીજા રાજાઓ સાથે દશરથને યુદ્ધ થયું, તે વખતે દશરથ રાજાના રથના પૈડાની ખીલી નીકળી ગઈ. આ વખતે સમયસૂચકતા વાપરીને રાણું કેકેયીએ ખીલીની જગ્યાએ પિતાની આંગળી ભરાવીને રથને ચાલુ રાખ્યો. યુદ્ધ પુરું થતાં કૈકેયીની આંગળીને છુંદાઈને કુચો થઈ ગયો હતો. આ જોઈ દશરથ રાજા કેકેયી પર પ્રસન્ન થયા અને તેણે તેણુને વરદાન માગવાનું કહ્યું. કૈકેયીએ તે વરદાન પ્રસંગે ભાગી લેવાનું દશરથ રાજા પાસેથી વચન લીધું. કૈકેયીને ભરત નામે પુત્ર થયો. શ્રી રામચંદ્રજીના રાજ્યારોહણ વખતે કૈકેયીએ પિતાનું વચન માગ્યું કે શ્રી રામને વનવાસ આપો અને પિતાના પુત્ર ભરતને રાજ્ય આપે. આથી દશરથ રાજાને ઘણો પશ્ચાત્તાપ થયે; પરન્તુ આપેલા વચન પ્રમાણે તેને અનુસરવું પડયું. કેકેયી લોકોના ધિક્કારને પાત્ર બની અને અપમાનિત દશામાં તેને પિતાનું જીવન વિતાવવું પડયું. ૭૪ કૈલાસ ગાથાપતિ, સાંકેતપુર નામક નગરમાં કૈલાસ નામને ગાથાપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર લીધું હતું. બાર વર્ષ સુધી ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા. ૭૫ કેણિક રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્યાસન પર બિરાજતા હતા. શ્રેણિક મહારાજાને નંદા નામની રાણથી અભયકુમાર નામે પુત્ર થયો હતો. તે મહા વિચિક્ષણ અને બુદ્ધિશાળી હતું. તેથી રાજ્યકાર્યભારમાં શ્રેણિક રાજાએ તેને સલાહકાર મુખ્ય મંત્રી બનાવ્યા હતા. વૈશાલક નગરીના રાજા અને પ્રભુ મહાવીરના
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy