SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન લાગે ને? વાત ખરી. તારી ભાવના હતી તેમાં ના નથી, પણ સાથે જગતના ભાને વિચાર તે કરવો પડે. અહીં પૂજમાં, સામગ્રીમાં પ્રતિબંધ કર્યો. મૂલનાયક્વણું તીર્થંકરને અંગે અંગીકાર કર્યું. હવે તે બધું શાને માટે છે ? તે કહે છે કે કેવળ જીવોના ઉદ્ધારને માટે | તીર્થકરપદની આરાધનામાં લક્ષ્ય શું ! હવે અહીં આ સર્વ નિયમ ત્યારે જ રહે કે જ્યારે જીવોના કલ્યાણનું ધ્યેય રાખીએ અને તેની અનુકૂળતા માટે સંધને–આચાર્યાદિને પણ ધ્યાન આપવું પડે. મૂલનાયક-સામાન્ય આદિને ભેદ પણ પાઠવો પડ્યું. અહીં તત્ત્વ એ છે કે જે મનુષ્ય જગતના કલ્યાણને ભાટે અરિહંતાદિની પૂજા, પ્રશંસા, સત્કારાદિ બહુમાન કરે, તે ફક્ત જગતના કલ્યાણના એયને માટે છે. અહીં તીર્થકર પદની આરાધના માં લક્ષ્મ જગતના જીવોના ઉદ્ધારનું છે. જો કે અહીં આરાધના છે, તેમ અરિહંત પદની નવકારવાળી આદિ ગણે તેમાં કલ્યાણભાવ સ્વઆત્માનું જ કલ્યાણ છે. નમન, વન, જપ, ગુણગાન દ્વારા થતી અરિહંત પદની આરાધના આત્માને જ તારે. . વાસાની સાથે જાતને ઉદ્ધારવાનું દયેય : હવે મૂળ વાત ઉપર આવીએ કે જે વિધિની સાથે જગતને ઉદ્ધારવાનું ધ્યેય રાખે તે જ તીર્થકર બને. હવે પ્રથમ કોઈ વસ્તુની સિદ્ધિ માટે અખતરો કર્યા પછી તે સભા આગળ મૂકાય. ચેકસી સેનાને અખતરો કપ, તાપ, છેદ આપ્યા પછી ચેકસીઓ આગળ મૂકે. જ્યારે પિતાને અખતરે પૂરેપૂરો લીભૂત થયો હોય તે જ ચેકસી આગળ - મૂકાય. અહીં એકસીસેનાનો ભંડાર કરાવવાવાળા નહિ. તેને ભંડાર તો રાજા, મહારાજા કે શેઠ શાહુકારે કરાવે, પણ ચોકસીએ તે પરીક્ષા જ કરે. હવે તીર્થંકર મહારાજ mત આગળ જે ધર્મને અખતરો મૂકે છે, તે ક્યારે બને? જગતને ધર્મનું પૂરેપૂરું ફળ બતાવી શકે તે જ જગતને ધર્મ દેખાડી શકે, ત્યારે જ દેશના આપે. કેવળજ્ઞાન ન થયું હોય તે દેશના ન આપે. કૈવલ્ય ઉપજે ત્યારે જ ધર્મને અખતરો
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy