SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું ] સદૂધમપરીક્ષક ૯૧ બંધાયેલું છે ને ? મહાનુભાવ, એક વખત માની પણ લે કે–આવતા ભવને માટે બાહ્ય સ્થિતિ સુધરેલી હોય, પછી તે ભવ્ય કે અભવ્ય હોય, સમ્યગ્દષ્ટિ હોય કે મિયાદષ્ટિ હોય, અને તે જિંદગી સુધી સાધુપણું પાળનારા હોય. છતાં અમે તેને સાધુ તરીકે માનતા નથી. તો કેમ? આજકાલ કાયદો છે કે સાધુપણું લે તે હકકની અપેક્ષાએ ભરેલો. દુનિયાદારીને હક્ક ગયો. પાછો આવે તે પણ ન જ મળે. તેણે યાવછવ સુધી ધનાદિની માલિકી છોડેલી છે તેવાને ગુરુ માનવા કે નહિ? વાત ખરી, પણ બાહ્ય સંગિક સ્થિતિનો ત્યાગ જે આત્યંતર સ્થિતિના ત્યાગ વિનાનો હોય તો તે નકામે જ છે. પુલાક, બકરા, કુશીલાદિ પાંચને નિગ્રંથ કહીને ગ્રંથના ત્યાગમાં જ સાધુપણું કહે છે, તેમાં અમારી ના નથી, પણ ગ્રંથના ત્યાગને જ સાધુપણું નહિ કહે. કારણે બાણ ગ્રંય જે ધન, કુટુંબાદિને ત્યાગ. તે તો પરમ ત્યાગી પુરુષે માત્ર કરે છે. જેમ રંગે સેનું કહેવાથી કશે સેનું નથી એમ તે નહિ. પણ તેથી વસ્તુનો રંગ માત્ર જ અહિં સુવર્ણન લેવાનો છે. તેથી રંગ સિવાય બીજું કંઇ ૫ણ સુવર્ણનું ન મળે. વેશે સાધુ કહેવાથી વર્તાનાદિ ન હોય, તેમ અહિ ગ્રંથ માત્રનો ત્યાગ નહિ કહેતાં બાહ્ય ગ્રંથત્યાગની વાત કરી. એટલે અત્યંતર ગ્રંથના ભાગની વાત જ ન કરી. પણ બાહ્ય ત્યાગ જે વિહાર, આવશ્યકાદિ કે કાયોત્સર્ગ આદિ કરવાથી મનહરપણું આવતું નથી. કારણ આ જગતમાં આપણે જોઈએ છીએ કે બાહ્ય ત્યાગ તો જે સાચાયુઓ નથી તેમને પણ હોય છે. જેમ “લાગુwારરયાત નહિ નિર્ધા માત” સર્વે કાંચળી ઉતારી તેના ત્યાગથી દાઢ વિનાને થયું અને નહિ કરડે એમ મનાય નહિ, ઝેર વગરને ગણાશે નહિ, તેમ અહિં બાહ્ય વર્તન માત્ર રાખવાથી, પરિણતિ થયા વગર સાધુ, ધર્મ કે દેવ થઈ શકતા નથી. સ્ત્રી, હથિયાર કે માળા ન હોય પણ કેવલજ્ઞાનાદિ તો દેવનાં લક્ષણ હાવાં જ જોઈએ. હવે, જયાં દે૫ણું હોય ત્યાં શ્રી હથિયારાદિ ન જ હેય. ગુરૂ હોય ત્યાં
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy