SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું ] સદૂધમપરીક્ષક સમજવી, છતાં કેટલાંક બી ચવાઈ જાય-ભુંજાઈ જાય તો અંકુર ન થાય. એટલે અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ પીજમાં નષ્ટ થાય છે. તેમ અહિં આ આત્મામાં જન્મ કરવાની શક્તિ કર્મધારાએ છે તેમ અહિં કર્મને વાત કરવાનો રહેશે. બીજના ના અંકુરાને નાશ અને અંકુરાના નાશે બીજને નાશ થાય છે તે તેમ અહિં જન્મના નાશે કમનો નાશ થાય એમાં ના નહિ, પણ કર્મને નાશ થ જોઈએ. એટલે પ્રથમ કર્મને નાશ થવો જોઈએ. નિયાયિકોએ પણ જન્મ વીતરાગતા સિવાયને માન્ય છે, એટલે જન્મ સમયે વીતરાગ હોય જ નહિ. એટલે કર્મ સિવાય જન્મ થવાનો નથી. અને તેથી જન્મ કમ બનેનો નાશ થાય પણ તેમાં પ્રથમ કમને નાશ જોઈએ. જન્મ તે કર્મ વિના થતો નથી. કેમ છતાં જન્મને નાશ થાય જ નહિ. પણ જન્મ છતાં કર્મને નાશ શક્ય છે. જન્મ છતાં કર્મ ન બાંધવું તે આપણા હાથની વાત છે, પણ કર્મ છતાં જમવું નહિ તે આપણું હાથની વાત નથી. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે શાસ્ત્રકાર કહે છે કે–આવતા ભવનું આયુષ્ય જેણે બાંધ્યું તે ક્ષપકશ્રેણિ માટે નકામો ક્ષપકશ્રેણિવાળાથી પરભવનું આયુષ્ય બંધાય નહિ. ક્ષપકશ્રેણિએ ચઢનાર તે જ હોય કે જે આવતા ભવનું આયુષ્ય ન બાંધે તેથી કમ હેય તો જન્મ રોકવો શક્ય નથી, પરંતુ જન્મ થવા છતાં નવું કર્મ ન બાંધવું તે શક્ય છે. કમ તે ઈચ્છા માત્રથી રોકાતું નથી. જે ઇચ્છા માત્રથી રોકાય તેમ હોત તો જગતની સ્થિતિથી કોઈ દુખી થાત નહિ. તેમ કોઇને પાપ બાંધવાની ઇચ્છા નથી. અને તેથી ઇચ્છા પ્રમાણે કમ બંધ થતો હોય તે કોઈ કમ બાંધત નહિ. ઈચ્છા હોય કે ન હોય પણ માધને હેય એટલે કર્મબંધ થાય. જેમ નાના બચ્ચાને ચકરી ખાવાની ઈચ્છા ન હોય તેથી ચકરી ખાવાથી મગજ પણ વેગમાં રહે છે અને પૃથ્વી ઝાડાદિને વેગમાં ફરતાં જુએ છે. તેમ અહિં કર્મના વેગમાં રહ્યા છતાં કર્મ બાંધવા નથી એ ન બની શકે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy