SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ડશક [ વ્યાખ્યાન તેવામાં પ્રભુ વીર પધાર્યા. ત્યારે સાધુઓ કહે છે કે-ગોચરી જઈએ. ત્યારે પ્રભુએ ના પાડી. કેમ ? તે પેલા બધા સામા લઈને આવ્યા હતા. પછી વીરે અનુમતિ આપી. ત્યારે ગીતમસ્વામીજીએ પૂછયું કે કેમ પ્રથમ મનાઈ કરી હતી અને હવે કેમ જવાનું કહો છે? એટલે આખી વાત સમજાવી. અને છેવટે કહ્યું કે–તું ઈન્દ્રનાથને કહે કે–હે એકપિંડ્યિા ! તને અનેકપિંડિ જેવાને ઈચછે છે. આવી રીતે ગૌતમસ્વામીજીએ કહ્યું. પછી પિતે વિચારમાં આવે છે કે મને કહેવાનું તત્ત્વ શું ? ક્રોધ શમ્યા પછી પણ વિચાર આવે તેનું નામ જ માણસાઈ. તે વિચારે છે કે-તે સાધુઓ તે ઘણે ઘરે જઈને લે છે, મારે માટે પારણાની તૈયારી ઘણી જગે થાય છે તેથી હું અશુદ્ધ પિંડ લેવાવાળે છું. તેઓ માધુકરી વૃત્તિથી લે છે. બાળકના પારણાની વાટ જ જુએ, ગોચરી શુદ્ધ છે કે અશુદ્ધ તે પણ ન તપાસે. બાળક માત્ર બાહ્ય સંગેને જુએ પણ નિયમને ન તપાસે. બાળક ધમની પરીક્ષા બહારના સંજોગોથી કરે ત્યારે મધ્યમ સંયોગ અને નિયમને પણ તપાસે. નિયમે કયા ? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પણ પાળે છે. હવે તે સમિતિ શું? પારિભાષિક શબ્દોને અર્થ કહીએ તો ચાલવામાં, બોલવામાં, ખોરાક લેવામાં, વસ્તુને મૂકવામાં અને તેને છોડવામાં પણ મર્યાદા. આનું જ નામ પાંચ સમિતિ. પાંચની મર્યાદા સાથે મન, વચન અને કાયા ઉપર કાબૂ હોય એટલે સંગિક સ્થિતિ સારી હેવા સાથે આ શારીરિક સ્થિતિ સારી હોય તે જ ધર્મ ગણાય. જે શારીરિક સ્થિતિ સારી ન હોય તે ધર્મ ન ગણાય. મધ્યમ આ બન્નેને જુએ, અને બુધ પુરુષ બને જેવા સાથે સિદ્ધાંત સારે છે કે નહિ એ મુખ્યતયા તપાસે. હિંસાદિ પાંચને ત્યાગ તે સર્વ દર્શનકાએ માન્યો છે, પણ કેઈએ તેને ઓતર કર્યો નહિં. અન્ય મતવાળાએ નવ તત્ત્વો માન્યા. પણ મુખ્યમાં જીવાદિ નહિ લેતાં દ્રવ્ય-પ્રમાણ-પ્રકૃતિ-અંધાદિ રૂપે તેને વિભાગ કર્યો. જૈન ધર્મમાં કર્મને આવવાનું કારણ તેનું નામ આવ. કર્મને રોકવાનાં
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy