SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શિક * [ વ્યાખ્યાન તે જ કાર્ય બાવે છતાં પણ “જે જીવા વિરાહિયા એદિ પદે બેસવા પડે. તેથી જેનશાસન ધર્મને નામે પણ વિરાધનાને ક્ષમ્ય નથી ગણતું. વિરાધનાના ભયે ધર્મના કાર્યો બંધ કરવા નહિ જ કહે. જોકે ધર્મપ્રવૃત્તિ સર્વ વિરાધનાવાળી છે, તેથી તેને બંધ કરવા નહિ જ કહે. નહિ કરે તે દષણ માત્ર લાગવાનું એમ શાસ્ત્રકાર કહેશે. તે જે જ્ઞાનાદિની પ્રવૃત્તિ શાસ્ત્રકાર કરાવે ને ન કરવામાં દૂષણ કહે, તેવી પ્રત્તિમાં લાગતી વિરાધનાને ફજુલ ગણતા નથી. પ્રતિક્રમણ કરવામાં પણ ઈરિયાવહિયા પડિઝમવી જોઈએ. સે, બસ કે તેથી પણ વધારે ડગલા આગળ જાઓ તેટલામાં વહેંલ્લાસ વધારે ગણાય, પણ દંડ તરીકે તે ઈરિયાવહિયા સર્વને કરવાની. આવી વિરાધના પણ જૈન શાસનમાં ક્ષમ્ય નથી. હવે કોઈ વખત વચનને દંડ આપે એટલે માફી મંગાવે અને કાયિક દંડમાં કાર્યોત્સર્ગ કરાવે. જે મુહે તે દંડ આપી શકે. જ્યારે આવી રીતે વિરાધના નિયમિત નથી, તે પછી તેનું કાર્ય શું ? ખાવા માટે હાથ ધ પડે અને એંઠો પણ કરવું પડે, કારણ ખાધા વિના પિષણ નથી. એ વાત નક્કી હોવાથી હાથ ધોવરાવવાના જ છે. બચ્ચાનું પિષણ તેમાં છે. એટલે પિષણને વિચાર અને ધવાને ઓર્ડર માબાપ જરૂર કરશે. હવે જ્ઞાન, દર્શન અને ચારિત્રના માર્ગો આત્માના ઉદ્ધાર માટે કહેવાશે તેની સાથે વિરાધનાની માફી માટે ઇરિયાવહિયા પણ કરવાનાં રહેશે. વળી બીજી બાજુ પણ શાસ્ત્રકાર કહે છે કે જગતમાં પગ ઉઠાવો આપણા હાથમાં છે, પણ ઉઠાવ્યા પછી તો તે વખતે હાથની વાત નથી. કારણ આખા શરીરને બે તેના ઉપર આવેલું છે માટે ઊંચે નહિ જ રખાય. અહિં ઇરિયાસમિતિથી પ્રથમ પગ જેએલે છે. વળી નકામે પગ આમ કરે છે એમ નહિં પણ આગળ જવા માટે સંક્રમણ થાય છે. ત્યાં કોઈ જીવ આવ્યું. જેમાં ચાલતાં ખિસકોલી આવી તે મોટે જીવ લેવાથી કદાચ બચી જાય, પણ કોઈ નહાન જીવની વિરાધના થઈ, તે તે પગ પડવાથી મરી જ જાય, છતાં તેને તેના નિમિત્તે ઉત્તમ,
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy