SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું સદ્ધમપરીક્ષક ૧૩ જુએ એટલે ભાષા સમિતિ અને ભોજનનો વર્તાવ એટલે એષણસમિતિ. લેવા મૂકવાની વાત એટલે વિવેક તે અહીં આદાનભંડમંતનિવણ સમિતિ. કતાં પણ આવડવું જોઈએ. જેમ કચરો ઘરમાંથી ફેંકતાં વાયરે સામે આવે તો આંખમાં પડે અને આંધળો થાય. તેથી અક્કલ ફેંકવામાં પણ જોઈએ. આથી પારિકા પનિકા સમિતિ છે. આ શાસ્ત્રીય શબ્દ તમને કિલષ્ટ લાગશે. જેને ચાલતાં, મૂકતાં અને ફેંકતાં વગેરેમાં વ્યવસ્થા આવડે તેને ગુરુ માને, તેવી જ રીતે તીર્થકરમાં અને ધર્મમાં પણ વર્તાવને મધ્યમ બુદ્ધિવાળો દેખે. આગમના અંગે તવષ્ટિ હવે તત્ત્વદષ્ટિવાળો શું કરે છે તો આ સારું છે. એમાં કોઇથી ના કહેવાય નહિ. હારને ત્યાગ, વર્તાવ સારો છે એમાં ના નહિ, પણ કર્મને બંધ અને નિરા થવી તેમાં બાહ્ય આચાર સાથે સગાઈ છે કે નહિ ? તે સગાઈ છે પણ તે રબારીની નાત જેવી નહિ. જો તારી છોલી, આ તો હું ચાલી.” તેને જીવનના જોખમે ભરતાર કે ઘર ન હોય. અનુકૂળતાના અભાવે ઘર એને છોડવાનું બને. અહીં આ ચીજ વર્તાવને અંગે સારી હોય, ઊંચામાં ઊંચી સ્થિતિને વર્તાવ હોય પણ આત્માની પરિણતિ ન હોય તો શું વળે ? જેમ અભવ્ય જીવન વર્તાવ ઠેઠ નવચૈવેયક સુધી જવાનો છે પણ સરવાળે તો મીંડું ! તત્વદષ્ટિવાળે જુએ શું ? આગમને અંગે કેટલા વિચારવાળે છે! તે જોઇ તપાસીને પછી જ દેવ, ગુરુ અને ધર્મને માને. આગમવિરહ તે ત્રણેમાંથી એક પણ નહિ. પરિણતિ જ્ઞાનવાળો જ તવદષ્ટિએ વસ્તુ કે માગને જાએ. આવી રીતના ત્રણ પ્રકારના છ ત્રણે તત્વની પરીક્ષા કરે છે. હવે તેમાં દેવ, ગુરુ અને ધર્મને અંગે જુદી જુદી રીતે શી પરીક્ષા કરાશે તે અંગે જણાવાશે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy