SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું ] અધ્યયન ૪ : સમ્યફ્ટ તીર્થંકર ધ્રુવના વચનાતિશયના પ્રભાવ અતિશય એટલે અમુક ભાગ્યશાળીના ભાગ્યથી જ અને તે, અને તેવા અતિશય અહીં પ્રભુને હોવાથી અર્ધમાગધી ભાષાએ ખેલે છતાં ચાહે તે હોય તે સને પોતપોતાની ભાષામાં તે પરિણમે. હવે તીર્થંકર દેવોએ સર્વ જીવાને પોતપોતાની ભાષારૂપે પરિમવાવાળી એવી અર્ધમાગધી વાણીએ કરીને આ ઢંઢેરો જાહેર કર્યા છે. પ્રભુ કે ઇશ્વર તરીકે પોતે જે જાહેર કરે તે માનવાને સભા તૈયાર જ હોય આનંદ કામદ કંઇ ન જાણુ, શેઠ વચન પરમાણે ” એટલે કે શેઠે કહેલું. નાકરને પ્રમાણ જ હોય, તેમ અહીં જિનેશ્વરે કહેલો ઢંઢેરો ભલે કબૂલ થયા પણ ખાતરી વિના મન કબૂલ ન કરે. જેમ આશાથી, ભયથી, ત્રાસથી લોકોની જીભ ‘રાજી’ કહી દે પણ અંદરથી મન કોઈ દિન ખાતરીત્રના કબૂલ કરે જ નહિ, તેમ અહીં પણ જિનેશ્વર મહારાજના વચનને કોઇ આશાથી, ભયથી કે ત્રાસથી કંપ્યૂલ કરે તો શું સમજવું ? તો કહે છે કે-ખુદ ભગવાન કહે છે કે મારી મોટાથી તમે આ વચન ગ્રહણ ન કરો ! હે સાધુએ ! હું જે કહુ છું તે પરીક્ષા કરીને તપાસીને લેજો ! મારૂ ગૌરવ સમજીને કે મને મોટા ગણીને તમા આ વચન લેશે નહિ ! પ્રશ્નકારને ઉત્તર દેવાની પ્રભુની ફરજ અહીં મહાવીર મહારાજા સરખા કેવલી કહેનારા અને ગૌતમસ્વામીજી સરખા સાંભળનારા છતાં પ્રશ્ન પૂછાય છે કે “ તે મેળ કેળ અંતે! હવ ૩૨૬ ” એમ ગૌતમ પ્રભુજીને પૂછે છે. અહીં મારીને મનાવવાનું નથી. શંકા કરીને સમાધાન મેળવવાના હક છે કે નહિ ? અહીં જેને જે કંઈ પણ શંકા થાય તે શંકા પૂછવા હક દરેકને છે. જીવતે ચેતના અને ચેતના તે . વ. આમ પણ પૂછી શકે અને ઉત્તર પણ પ્રભુ તે જ પ્રમાણે આપે, તેથી ભગવતીજીમાં પ્રશ્ન થયો એટલે ઉત્તર દેવાની પ્રભુની ફરજ પણ છે. ૨૪૩
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy