SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણચાલીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૭૫ બનાવવા, પીડા દેવી, યાવત્ ઉપદ્રવ કરવો એવો કઈ પણ હક કે જીવને કે કોઈના અંગે નથી. આવી રીતનો જિનેશ્વર મહારાજનો ઢંઢેર સર્વ જીવને અંગે છે. જિનેશ્વર જ સદેવ કેમ ? હવે આ વસ્તુ તપાસવાથી કયા દેવ સુદેવ ગણાય તે સમજાશે. શિવ શિવજીને, વૈષ્ણવ વિષ્ણુને અને ઈતિરે પણ પિતપોતાના દેવને સુદેવ ગણાવવા ચાહે છે પણ આવી રીતે સર્વ જીવોને સ્વાતંત્ર્ય કે સરખી રીતે જીવવાને હક ફકત જિનેશ્વર મહારાજે જ આપેલો છે અને આ ઉપરથી પ્રભુ જિનેશ્વરનું જ સુદેવપણું મનાવે અને તેમનું જ વચન ધર્મ તરીકે લેખાશે. જગતમાં છે પિતાનાં બાળબચ્ચાં બેરને વિચાર કરે છે, સામાન્ય રીતે “હું ન હોઈશે ત્યારે આવું શું થશે? એમ વિચાર કરે છે. પણ હું આગળ જઈશ ત્યારે મારું શું થશે ? એને વિચાર સરખેય કોઈ દિન કર્યો છે ખરે? જીવને આ વિચાર આવતું નથી. પોતાના બાળકના અંગે “ભ નથી, શું થશે? બાયડી આંધળી છે તેનું શું થશે ?' “માતા અપંગ છે તેનું શું થશે ? આ વિચાર આવે પણ અહીંથી ગયા પછી પિતાનું શું થશે તેને વિચાર આવતું નથી. કંચન, કામિની, કુટુંબ અને કાયારૂપી જીવનસ્પંભે હવે ભવિષ્યમાં પિતાનું શું થશે એવો વિચાર જેને આવે તેનામાં કંઈક ધર્મ છે એમ સમજવું. હવે જે ડાહ્યો હોય તે પિતાને વિચાર કરે કે હું ચાર થાંભલાની દીવાલમાં રહ્યો છું. હવે ભૂખરી માટીમાં, હવામાં હવાની શરદી પેસે તે નીકળવા માંડે તેમ આ જીવ ચાર થાંભલાની બનેલી ઈમારત ઉપર આધાર રાખે છે. કંચન, કામિની, કુટુંબ અને કાયારૂપી ચાર થાંભલા જગતમાં પોતાના જીવન કે વ્યવહારને અંગે સૈ કેઈ ગણે છે. આ સિવાય બીજ થાંભલે છે ખરો? વળી તે થાંભલા કઈ સ્થિતિના છે તે વિચાર કર્યો છે ખરો ? જેમ મુસાફરીમાં કોઈની ઓળખાણ થવાથી
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy