SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન છતાં તમે સહી ન કરે તે તેનું કંઈ ન જ ચાલે. રાજા જ્યારે યોગ્ય ઉમર લાયક થાય પછી તે પિતાના રાજ્યવહીવટની તપાસ કરાવી શકે છે, અને તેમાં થયેલી ગેરવ્યવસ્થાને યોગ્ય બ લઈ શકે છે. કોટે કાઢવા સોયના ગોદા કેમ વહેરાય છે! ' હવે ત્રીજા અધ્યયનમાં જણાવે છે કે સહી કરતાં પહેલાં વિચારે કે એ તને અનુકૂળ છે કે નહિ? તારા ગેરલાભ માટે હેય તો તું સહી આપીશ નહિ, તેથી શીષ્ણનામે અધ્યયન કહી જણાવ્યું કે અનુકૂળમાં રાજી ન થવું, પ્રતિકૂળમાં નાખુશ ન થવું. હવે દુખાવા થયેલા હોય તે સૌ કોઈ મટાડવા માગે છે પણ તે મરીને મટાડવા નથી, તેમ દુખાવાથી ડરીને મરવાનું કોઈ ઇચ્છતું નથી. હવે અનિષ્ટ દૂર કરવા સી છે પણ તે ઈષ્ટની પ્રાપ્તિની સાથેનું હોય છે. કાંટે કાઢવા માટે સાયના ગોદા વહોરી લઇએ તે ગદા ઈષ્ટ નહિ હોવા છતાં, અનિષ્ટ હોવા છતાં, વહોરી લઈએ છીએ કારણ કે કાંટાનું નીકળવું ઇષ્ટ છે. ' - અનિષ્ટના નિસ્સરણની સાથે ઈષ્ટની પ્રાપ્તિ હવે આ ભવભ્રમણ નિવારવાને મન, ઇકિય ઉપર કાબૂ, અનુકૂળ-પ્રતિકૂળમાં રાઈ નાખુશી ન કરવી અને તેથી અનિષ્ટ નિવારણ કરવા માટે ચેથા અધ્યયનમાં ત્રણ સુંદર ચીજો બતાવી એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણ જૈન ભાષાના પારિભાષિક શબ્દો છે. દુનિયાદારીના શુદ્ધ નિશ્ચય વિના, સાધના શુદ્ધ બોધ સિવાય અને સાધનને શુદ્ધ અમલ કર્યા સિવાય કાર્ય બની શકે જ નહિ તેવી જ રીતે આ આત્માને અંગે પણ જિનેશ્વર મહારાજ એજ ત્રણ વસ્તુ રાખવા કહે છે. શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણ શુદ્ધ સમક્તિ છતાં તમામ આચાર્યો કે શાસ્ત્રકારે એકલા સમ્યગૂર્શનને જ સમક્તિ કહે છે, પણ જ્ઞાન અને ચારિત્રને સમકિત શબ્દથી લેતા નથી. જ્ઞાન અને ચારિત્રમાં સમક્તિ છતાં તે સમક્તિ શબ્દથી લાતાં નથી. મા
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy