SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસમું] અધ્યયન ૪: સમ્યક ૧૨૧ પારકા સેનાની કિંમત ઓછી અને પિતાના માલની કિંમત ઘણી બતાવવી તે વાજબી ન ગણાય. ચેકસીની દુકાને તે પાવલી કે બે આનાને ફરક હોય. હવે અહીં પૃથ્વી, અપ, અગ્નિ આદિ પાંચે ભૂતને જીવ માનીએ ખરા પણ પિતાના ક્ષણિક સુખની ખાતર હજારો કે લાખો છો નાશ કે સંહાર થાય, તેની આપણને કંઈ કિંમત કે અરેરાટી પણ થતી નથી. જેમ તરસ લાગી તે ક્ષણિક દુઃખ છે. હવે કાચું પીણું પીતાં અસંખ્યાતા અપુકાયના જીવોની વિરાધના થઈ. તે છાના જીવનને નાશ થયો. અહીં ક્ષણિક સુખ માટે આટલી મોટી વિરાધના. હવે અહીં અપૂકાયને જીવ માનો અને તેની વિરાધના કરે એ કેમ પાલવે તે માટે કહે છે કે પિતાના આત્માને જે રીતે ગણે છે તે રીતે જગતના જીવોના આત્માને માન અને તે પ્રમાણે વત બતાવ. અનાદિની રખડપટ્ટી મટાડવાને ઉપાય પિતાના જીવને બચાવવા, સુખી કરવા, દુઃખ દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે, તેવા જ પ્રયત્ન પર જીવો માટે કરાય છે ખરો ? હવે આવી સ્થિતિ થયા વિના આત્માને ઓળખવાનું કહેવું તે શબ્દ માત્ર છે. ચપુ કે લોઢું કાપવા માટે સેનાને ડાબડ ન હોય. હવે દુઃખ હમેશાં દૂર કરવા લાયક ગણાય છે અને સુખ હમેશાં પ્રાપ્ત કરવા વિચારાય છે. સુખ કે દુઃખ આત્માના પ્રદેશ વધારવા કે ઘટાડવાનું કામ કરતા નથી. અહીં આત્માના પ્રદેશ અસં ખ્યાતા છે તે અનંતા કે સંખ્યાતા બને તેમ નથી, છતાં સંસારમાં થતી રખડપટ્ટીનું દુઃખ દૂર કરવા માટે જિનેશ્વર જણાવે છે કે તારે આત્મા ભવભવ રખડવાવાળો હોઈ, ઉત્પન્ન થવાવાળે છે અને તે મન કે ઈદ્રિયના વિકારને લીધે છે. હવે તે ઈદ્રિ અને મન આત્માને વશ કેમ થાય? તે કહે છે કે તે માટે રસ્તે છે. સારું લાગે ત્યાં રાજી ન થાય, ખરાબમાં બેરાજી ન થાય તે ઇંદ્રિય અને મન તારા કબજે આવશે, અને તારી રખડપટ્ટી મટી જશે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy