SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆચારાંગસૂત્ર | વ્યાખ્યાન અહીં તીર્થકર મહારાજાને દેશના દેતાં તે કર્મ ભોગવાય ખરું, પણ તે કર્મ પ્રથમ હતું કયાં? તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ | તીર્થંકર નામકર્મ જ્ઞાનાવરણીયાદિની જેમ બંધાતું નથી. તે તીર્થકર નામકર્મ જગતના ઉદ્ધારને માટે બાંધેલ છે, એમ ને એમ બંધાતું નથી અને તે જગતને ઉદ્ધાર કરતી વખતે ખપે. તેનું ફળ તે છે નહિ, અર્થાત દેશના દેતાં પિતાના આત્મામાં એક પણ ગુણને વધારો કરવાનું નથી. આવી રીતે સર્વકાળના તીર્થકરે જગતના ના ઉદ્ધાર માટે મથી રહેલા છે અને તે ભવાંતરથી મળેલા હેવાથી જગતના જીવોને ઉદ્ધારની દેશના આપે છે. પંચાતિયાનાં છોકરાં ખ્યાં મારે - હવે અંધારું મટી અજવાળું થાય તે સર્વ ક્રિયા કરવી સૂઝે. તેમ અહીં જગતના છેવો અંધારામાં કયાં ખેંચી રહેલા હતા ? તે કહે છે કે આહાર, શરીર, ઇંદ્રિય અને તેનાં સાધને, તે રૂપી ચારની ચાવટમાં આ જીવ અનાદિ કાળથી ગુંચવાયેલો છે. તે ચારની વટ સિવાય તેણે બીજે ધંધે કર્યો નથી. પંચાતિયાનાં છોકરાં ભૂખ્યાં મરે” એમ લોકોક્તિ પણ છે. તેમ આ જીવ ચારની ચેવટને અંગે અનાદિ • કાળથી રખડેલ છે. તેથી તેના ઉદ્ધાર માટે જણાવ્યું કે “તું તારું વિચાર” “અસ્થિ છે આવા વેવાઇ” મારો આત્મા ઉત્પન્ન થવાવાળા. છે. દરેક ભવમાં ઉત્પન્ન થવાવાળો, ભવોભવ ભટકવાવાળો છે.” એ સર્વ બીજા ઉપદેશમાં જણાવે છે. ચારની ચાવટરૂપી ચક્કરમાં ઘુમતે જીવ શંકા-ઘર તે ઓળખા? બહારના ખાઈ જાય છે તે ઓળખાવ્યું પણ ઘરમાં શું છે ? માલ મિલ્કત શી છે તે તે જણાવો, આત્મારૂપી ઘરનું કુટુંબ શું? સમા -કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ સુંદર વસ્તુ તે આત્માના ઘરની છે, તેને તું સંભાળતું નથી. અને ચારની સેવટરૂપી ચક્કરમાં તું ઘૂમેલ છે. આ ત્રણનાં સમકિત
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy