SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] વિધિ” શબ્દથી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા તીર્થને-શાસન સંસ્થાના પણ વિધિવિધાન છે, એમ પણ સમજી લેવું જ જોઈએ. (તે પણ પ્રભુની આજ્ઞા અનુસારે હેય.) શ્રી તીર્થંકર પ્રભુએ બતાવેલી જીવન સિદ્ધાન્ત અને ધરણેને જુનવાણી, રૂઢિવાદી, વહેમો વિગેરે કહીને તેને દૂર રાખી, આજે બીજી રીતે જ જીવન ધરણે વિગેરે અપનાવવાથી, ધાર્મિક સામાજિક તથા રાજકીય તરફ મન દેરાયા વિના રહેવાનું જ નથી. પરિણામે મહાવિનાશનું શરણ અવશ્ય બની રહેતું હોય છે. (૧૧) ધર્મ મંગળરૂપ ક્યારે ? જૈન શાસન ગ્યતા પ્રમાણે છે વધતે અંશે સર્વના જ કલ્યાણનું કારણ છે. સર્વ ધર્મો સર્વમાન સર્વપ્રાણીઓના કલ્યાણનું અવશ્ય કારણ છે. ધમ પિતે મંગળ રૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તે જૈન શાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વધર્મોને જગતનાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણ રૂપ થાય છે. શાસન નિરપેક્ષ શાસન આજ્ઞા રહિત કરો તે ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસન નિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તે તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે. અને કેટલીક વાર તે અધમ રૂપે વિરાધના રૂપ પણ પરિણમે એવા પણ શાસ્ત્રકાર મહારાજાઓના વચને છે. આ મૂળ બાબતે ખાસ સમજવા જેવી છે. જે નીચેના લેકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છેઃ " सर्व मंगल मांगल्यं, सर्व कल्याणकारणं । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनं ॥" ભાવાર્થ :–“સર્વ મંગલમાં મંગલપણું રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.”
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy