SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:–તે કમળ મૂળને વિષે, કંદને વિષે અને નાળને વિષે અનુક્રમે વામય, અરિષ્ઠરત્નમય અને વૈડૂર્ય રત્નમય છે, એટલે કે કમળનું મૂળ વમય છે. કંદ અરિષ્ટ રત્નમય છે અને નાળ વૈડૂર્ય રત્નમય છે, તથા મધ્યમાં પત્ર રક્તસુવર્ણમય છે અને બહારનાં પત્ર તપાવેલા પીળા સુવર્ણમય છે, તથા રકતવર્ણવાળા કેસરા છે. આ કમળ પૃથ્વીકાયમય છે, વનસ્પતિકાયમય નથી એમ સમજવું. ૩૮ - હવે તે કમળની મધ્યે રહેલી કર્ણિકાનું તથા દેવીના ભવનનું સ્વરૂપ કહે છે – કમલદ્ધ પાયપિહુલુ-ચ્ચકણગમયકણિગાવરિ ભવનું અદ્વેગકસપિહુદી-હચઉદયચાલધણુહુર્ચા. ૩૯ પાય-પદ, ચોથે ભાગ પિહુ-પહેલ્થ પિહુલ-પહોળાઈ ચઉદસય-ચૌદસો કણગમય-સુવર્ણના ચાલ-ચાલીસ કણિગેવરિ-કણિકા ઉપર ઘણુડુચંધનુષી ઉંચાઈ અર્થ:-કમળના વિસ્તારથી અધી પહોળી અને પા ભાગની ઉંચી સુવર્ણમય કર્ણિકાની ઉપર કહેદેવીનું ભવન હેય છે. તે ભવન અર્ધ કેશ પહેલું, એક કેશ લાંબુ અને ચૌદ સો ને ચાળીશ ધનુષ ઊંચું હોય છે. ૩૯ વિવેચન –કમલ ઉપર કણિકા આવેલી છે. અને તે કણિકા ઉપર દેવીનું ભવન આવેલું છે. તેનું પ્રમાણ જણાવે છે –મૂળ કમલને જેટલા વિસ્તાર છે તેનાથી અર્ધ પ્રમાણ જેટલી પહોળી અને ચોથા ભાગ જેટલી ઉંચી તે કણિકા
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy