SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ હજારને વિષે ચાર દિશામાં એકેક ફૂટ છે તથા ચોથા હજારમાં આઠ આઠ ફૂટ છે. તથા વિદિશામાં ચાર ફૂટ છે. એ પ્રમાણે ચાલીસ દિકકુમારીઓના કૂટ છે. ચાર વિદિશાના ચ૨ સહસ્ત્રાંક ફૂટ છે ૪–૨૬૦ વિવેચન–રૂચકદ્દીપની મધ્યે વલયને આકારે રહેલ તે રૂચક પર્વત ચાર હજાર ને ચાવી ૪૦૨૪ જનના વિસ્તારવાળો શિખર ઉપર છે. ત્યાં પૂર્વાધિક ચાર દિશાએ બીજા હજારને વિષે એટલે એક હજાર યોજન મૂકીને આગળ જઈએ ત્યાં એક એક ફૂટ છે, તથા ચોથા હજારને વિષે ચારે દિશામાં આઠ આઠ ફૂટ છે આ આઠ આઠ કટે દિકકુમારીના જ કહ્યા છે; નહીં તે ચારે દિશામાં તે ફૂટોની વચ્ચે એક એક સિદ્ધકૂટ પણ હોવાથી ફૂટ તે નવ નવ છે. એમ વૃદ્ધો કહે છે. તથા તે જ ગાથા હજા૨વાળા ભાગમાં ચાર વિદિશાને વિષે એકેક–એમ ચાર સહસ્ત્રાંક નામનાં કુટો છે, કારણ કે તે એક હજાર જન મૂળમાં વિસ્તારવાળા, એક હજાર જન ઉંચા અને પાંચ સે જન શિખર પર વિસ્તારવાળા છે. આ પ્રમાણે કુલ ચાલીશ કર્યો છે. તે ઉપર ચાલીશ દિકુમારિકાઓ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે–દત્તરા ૧, નંદા ૨, સુનંદા ૩, નંદિવર્ધિની ૪, વિજયા ૫, વૈજયંતી ૬, જયંતી ૭ અને અપરાજિતા ૮. આ આઠ પૂર્વરચકમાં વસનારી છે. તથા સમાહારા ૧, ચપ્રદત્તા ૨, સુપ્રબુદ્ધા ૩, યશોધરા ૪, ૧ આ ચાલીશની સંખ્યા મધ્ય રૂચકવાસી ૪ ભેળી ગણીએ ત્યારે થાય છે. તે સિવાય કૂટ પર વસનારી તો ૩૬ જ છે.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy