SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યની સંખ્યા આવે છે. જેમકે ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, તેને ત્રણ ગુણ કરવાથી છત્રીશ-છત્રીશ થાય, તેમાં પૂર્વના એટલે જંબુદ્વીપના બળે અને લવણસમુદ્રના ચાર-ચાર મળીને છ છ ઉમેરવાથી બેંતાનીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય કાલેદધિમાં હોય છે. પછી તે બેંતાળીસને ત્રણ ગુણા કરતાં ૧૨૬ થાય. તેમાં પૂર્વને –૪–૧૨ મળી કુલ ૧૮ ઉમેરવાથી ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય પુષ્કરવર દ્વીપમાં હોય છે તેનું અર્ધ કરવાથી ૭ર ચંદ્ર અને ૭૨ સૂર્ય પુષ્કરાર્ધમાં હોય છે. આ કર ને ૭ર ચંદ્ર ચર છે. કારણકે અઢી દ્વિીપમાં તેઓ ફરે છે અને તેથી રાત દિવસ પણ અઢી દ્વીપમાં જ થાય છે. ને બીજા અર્થમાં રહેલા ૭૨ સૂર્ય ને ૭ર ચંદ્ર તથા અઢી દ્વીપની બહારના બધા ચંદ્ર સૂર્યાદિ સ્થિર છે. ૧૮૧ મનુષ્યક્ષેત્રને આશ્રીને સૂર્યાદિકની વક્તવ્યતા કહે છે – નરખિત્ત જા સમસે–ણિચારિણસિગ્યસિગ્યતરગઈ; દિપિહમિતિ ખિત્તા-શુમાણુઓ તે પુરાણેનં. ૧૮૨ નખત્ત-મનુષ્ય ક્ષેત્ર | ગઇeગતિવાળા જા-સુધી દિઠિપહંદષ્ટિપથ (દેખવામાં સમણ-સમશ્રેણિએ, સીધી | ઈતિ-આવે છે. | લાઈનમાં ખિત્તાણુમાણુઓ-ક્ષેત્રના ચારિણે-ચાલનારા અનુમાનથી સિધ્ધ-શીધ્ર; ઉતાવળી નરાણુ-મનુષ્યોના સિગ્ધતર-વધારે શીઘા એવં–એ પ્રમાણે
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy