________________
(૧૧). છતાં, અને અગ્નિદાહથી બધું બળી ગયેલા જેવા બનવા છતાં અને જુદા જુદા નિમિત્તથી અનેક આધિ (ચિંતાવાળ) છતાં પણ સકળ (બધાં) દુઃખના ઘરસમાન-ગૃહવાસનું કર્મ છેડવા સમર્થ થતા નથી; પણ, ઘરમાં રહીને જ તેવાં તેવાં દુઃખ આવતાં દીન સ્વરે રડે છે, અને બેલે છે કે,
હે બાપ! હે મા ! હે દેવ! આવા અવસરે તમને આવું દુઃખ દેવું યોગ્ય નથી ! તેજ કહ્યું છે કેकिमिदम चिन्तित मसदृश, मनिष्ट मतिकष्टमनुप
सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्वस्य ॥१॥
ન ચિંતવેલું અજાયબીવાળું અનિષ્ટ, તથા અનુપમ આવું (ભયંકર) દુઃખ જેમ નારકીના જીવને આવે તેમ મને એકદમ ક્યાંથી આવી પડયું છે. વિગેરે, તે બેલે છે. :
અથવા રૂપ વિગેરેમાં આસકત થએલા ચીકણાં કર્મ બાંધીને નરક વિગેરેમાં ઉન્ન થઈ ત્યાં દુખ જોગવતાં કરૂણ સ્વરે ઉપર મુજબ રડે છે, અને તે પ્રમાણે કરૂણ સ્વરે રડવાથી પણ તે કહે છે તે દુઃખથી મુકાતું નથી, તે બતાવે છે. દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેના વડે દુર્ગતિમાં ઉન્ન થએલા દુઃખ ભોગવતાં રડવા છતાં પણ ત્યાંથી દુખની મુક્તિ છુટકારે) અથવા મોક્ષનું કારણ જે સંયમ અનુષ્ઠાન છે, તે પામી શકતા નથી, અને દુઃખના છુટકારાના અભાવમાં