________________
(૧૨૨) પછી ઉત્પન્ન થયેલી તીવ્ર વેદનાથી મારી આંખે ગઈ, એવી વાણી બેલીને રાજાએ મારવાની આજ્ઞા કરી, તેથી રાજાની આજ્ઞા તીણ થઈ; અને પૂર્વે ન મારવાનું વચન આપવાથી શીતળ આજ્ઞા કરવી પડી; પણ જ્યારે મુહુર્ત પછી વેદના દૂર થતાં સારી આંખેવાળે થતાં તેજ રાજાએ ખુશ થઈ વૈદ્યની પૂજા કરી. એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પણ તીર્ણ છે. એટલે, શિષ્યની ભૂલ દેખતાં કડવા વચનની આજ્ઞા કરે, પણ શિષ્યનું અંતરંગ તપાસી તેનાં કાર્યથી પ્રસન્ન થાય; એટલે, પરિણામે શિષ્યને હિતકર હોવાથી ત આજ્ઞા શીતળ છે. આવું સમજાવ્યા છતાં પણ ક્રોધથી શિષ્ય શાંત ન થાય; તે, બીજાઓના રક્ષણ માટે સડેલા પાનની માફક તેને દૂર કરે. - જે, ગુરૂની આજ્ઞા શિષ્ય માને છે, ગચ્છમાં જ રહેવા દઈને દુર્વચનથી તેને તિરસ્કાર કરી પરીક્ષા કરવી. જો, તેમ કરતાં ન કેપે, તે તે શુદ્ધ છે એમ જાણીને તેને અણુશણની આજ્ઞા આપે; તથા તેને આર્તધ્યાન વિગેરે ન થાય માટે, તેની ખબર રાખી ગુરૂ પ્રસાદ કરે.
પ્ર–આ પ્રમાણે કે, અને કેટલે કાળ, અને કેવી રીતે આત્માને સંલેખે? તેથી, હૃદયમાં વિચારીને કહે છે – निफाईया य सीसा सउणी जह अंडगं पयत्तेण । बारस संवच्छरियं सो सलेह अह करेह ॥२७०॥