________________
કરે છે. આ રીતે
જીદ
૦ નિવેદન વિવેચન રૂપે કર્મગ્રંથ-૧ પ્રગટ કર્યા પછી ઘણા લાંબા સમયે અમે જ્યારે કર્મગ્રંથ-૬ ભાગ-૧ પ્રકાશિત કરી રહ્યા છીએ ત્યારે સહેજે એમ થાય કે કર્મગ્રંથ ૨ થી ૫ નું વિવેચન બાકી રાખીને કર્મગ્રંથ નું વિવેચન પ્રકાશિત કરવાનું કારણ શું ?
કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરીની ઘણા સમયથી ખૂબ જ માંગ હતી | પરંતુ અનુકૂળતાની અગવડને કારણે એ માંગણી અમે પૂર્ણ કરી શક્યા નહતા જે હવે આપ સૌના સહયોગથી સુગમ બની જતાં || કર્મગ્રંથ-૬ પ્રશ્નોત્તરી રૂપે ભાગ ૧ થી ૮ અમે પ્રગટ કરી ચૂક્યા ! છીએ.
' " કર્મગ્રંથ-૬નો વિષય જરા અટપટો અને ગણિતલક્ષી હોઈને તેની સમજમાં સરળતા રહે અને અભ્યાસી સારી રીતે સમજી શકે એ માટે પ્રશ્નોત્તરી પછી તરત જ વિવેચન પ્રગટ કરવું મુનાસીબ લાગવાથી આ ગ્રંથ આપ સૌની સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ. .
અથાગ પરિશ્રમ વેઠીને પણ આ દળદાર પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા બદલ પરમપૂજ્ય આચાર્યશ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. |
શ્રી નવજીવન સોસાયટી જૈન આરાધક સંઘના ટ્રસ્ટના શ્રી TT જ્ઞાનખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપવા બદલ | ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ 1 તેઓ તરફથી આવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ | છીએ.
પુસ્તકમાં રહી ગયેલી ભૂલો એ અમારી ક્ષતિ સમજી ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
કરી ને રજા જ. આ કારણ જાણકા
ર