SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૧૭ ૯૬. છે ઉ જ્યારે સમ્યકત્વ મોહનીયના દલિકો ભોગવીને ક્ષય પામે ત્યારે દર્શન મોહનીયની ત્રણે પ્રકૃતિની ઉપશમના થાય છે આ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિની ઉપશમના થઈ ગણાય છે. ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓની ઉપશમના વર્ણન આ ઉપશમ સમક્તિી જીવ શું કાર્ય કરે? ઉ. સાતેય પ્રકૃતિની ઉપશમના વાળો ઉપશમ સમક્તિી જીવ વિશુધ્ધ અધ્યવસાય વાળો થયો થકો ચારિત્ર મોહનીયને ઉપશમાવવા માટે ફરીથી પાછા ત્રણ કરણો કરે છે. ૧. યથાપ્રવૃત્તકરણ. ૨. અપૂર્વકરણ. ૩. અનિવૃત્તિકરણ. ૯૭. યથાપ્રવૃતકરણ કયા ગુણસ્થાનકે હોય? અપ્રમત્ત-સાતમા ગુણસ્થાનકે રહેલા જીવને ચારિત્ર મોહનીયની ઉપશમના માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. અપૂર્વકરણ કયા ગુણસ્થાનકે હોય? ચારિત્ર મોહનીયની ઉપશમના માટેનું બીજું અપૂર્વકરણ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં હોય છે. ૯૯. અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય કયા ગુણઠાણામાં હોય? ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ઉપશમાવવા માટેનો અનિવૃત્તિકરણ અધ્યવસાય રૂ૫ કરણ નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકમાં હોય છે. ૧૦૦. અપૂર્વકરણના કાળમાં કંઈ વિશેષ હોય? શું? આ અપૂર્વકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પહેલાના જેમ જાણવા. પણ તેમાં વિશેષ એ છે કે નહીં બંધાતી સર્વ અશુભ પ્રકૃતિનો ગુણસંક્રમ પણ થાય છે. ૧૦૧. અપૂર્વકરણના કેટલા ભાગ ગયા પછી શું કાર્ય થાય? ઉ અપૂર્વકરણ ગુણસ્થાનકનો સંખ્યાતમો ભાગ ભોગવાતાં એટલે કે પસાર થતાં નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ૧૦૨. અપૂર્વકરણના કેટલા ભાગ ગયા પછી શું કાર્ય થાય? ઉ
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy