SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૩. સંખ્યાત ગુણ અધિક, પ-અસંખ્યાત ગુણ અધિક, ૬-અનંત ગુણ અધિક ગણાય છે. યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયસ્થાનો દરેક સમયે સરખા હોય? કે ફેરફાર રૂપ હોય? કયા પ્રકારે? સરખા હોતા નથી. ફેરફાર રૂપે હોય છે એટલે કે પહેલા સમયના અધ્યવસાયો કરતાં બીજા સમયના અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક હોય તેનાથી ત્રીજા સમયના અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક એમ ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક યથપ્રવૃત્તકરણના છેલ્લા સમય સુધી જાણવું. યથાપ્રવૃત્તકરણમાં જઘન્ય વિશુધ્ધિનો ક્રમ કઈ રીતે હોય? વિશુધ્ધિનો ક્રમ આ પ્રમાણે જાણવો. પહેલા સમયે જઘન્ય વિશુધ્ધિ સૌથી થોડી હોય, તેનાથી બીજા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ત્રીજા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય, તેનાથી ચોથા સમયે જઘન્ય વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય આ રીતે યથાપ્રવત્તકરણના સંખ્યામાં ભાગમાં જેટલા સમયો આવે ત્યાં સુધી સમયે સમયે ઉપર મુજબ જઘન્ય વિશુદ્ધિ કહેવી. સંખ્યાતમા ભાગના સમય બાદ વિશુધ્ધિનો ક્રમ કઈ રીતે હોય? અને કેટલી હોય? કયાં સુધી ક્રમ જાણવો? સંખ્યાતમા ભાગમાં રહેલ સમય બાદ, પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંત ગુણી હોય, તેનાથી સંખ્યામાં ભાગ પછીના સમયની જઘન્ય અનંત ગુણી હોય, તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટ અનંત ગુણી હોય, તેનાથી સંખ્યામાં ભાગ પછીના બીજા સમયની જઘન્ય અનંત ગુણી હોય, તેનાથી ત્રીજા સમયની ઉત્કૃષ્ટ અનંત ગુણી હોય, તેનાથી.. આ રીતે જઘન્ય વિશુધ્ધિ તથા ઉત્કૃષ્ટ વિશુધ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમ સમયની જઘન્ય વિશુધ્ધિ અનંત ગુણ વિશુધ્ધિ હોય ત્યાં સુધી ૨૫. કહેવી. ૨૬. ત્યાર બાદ વિશુધ્ધિનો ક્રમે કઈ રીતનો હોય? ત્યાર બાદ ઉપરના એટલે કે છેલ્લા એક એક સમયની જઘન્ય વિશુધ્ધિ ઉ
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy